Western Times News

Gujarati News

ગાંધીનગરમાં “વણકર ભવન”નું ભૂમિપૂજન ૨૫ ફેબ્રુ, રવિવારના રોજ થશે

અમદાવાદ, શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ/પરગણા મહાસંઘ ટ્રસ્ટ ગાંધીનગર અને ગુજરાતના વિવિધ વણકર પરગણાના દાતાઓના સહયોગથી ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સમગ્ર વણકર મહાજનની એકતા, અખંડિતતા અને અસ્મિતા તેમજ સમાજના ગૌરવ અને પ્રતિષ્ઠાના પ્રતીક રૂપે સામાજિક, શૈક્ષણિક અને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓના કેન્દ્રસ્થાન તરીકે નિર્માણ પામનાર “વણકર ભવન”ના ભૂમિપૂજનના ઐતિહાસિક સમારોહનું આયોજન ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૪- રવિવારના રોજ થવા જઈ રહેલ છે

સાથે જ રામકથા મેદાન, સેક્ટર ૧૧, ગાંધીનગર ખાતે વણકર મહાજનની મહાસભાનું આયોજન કરવામાં આવેલ છે, ત્યારે મહાસંઘના હોદ્દેદારો ડૉ. અમૃત એસ. પરમાર (પ્રમુખ), હરગોવિંદ પી. સોલંકી (મહામંત્રી), સુધીર બી. પરમાર (ફાઇનાન્શિયલ એડવાઈઝર), મોતીભાઈ આર. વણકર (ટ્રસ્ટી), કિશોરકુમાર સોલંકી (ટ્રસ્ટી), હસમુખ સક્સેના (કો- ઓપ્ટ ટ્રસ્ટી) તથા મહાસંઘના તમામ હોદ્દેદારો તથા ટ્રસ્ટીશ્રીઓ એ વણકર સમાજના ભાઈઓ તથા બહેનોને મોટી સંખ્યામાં જોડાવા માટે અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે ભૂમિપૂજન પ્રસંગે ડૉ. કરસનદાસ સોનેરી (ચીફ પેટ્રન , મહાસંઘ તથા માનનીય પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર) , કુસુમબેન કાનજીભાઈ ચૌહાણ (પેટ્રન મહાસંઘ), શ્રી પ્રદીપભાઈ પરમાર (પેટ્રન, મહાસંઘ તથા માનનીય પૂર્વ મંત્રીશ્રી) ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આ કાર્યક્રમના ઉદ્ઘાટક ડૉ. કિરીટભાઈ સોલંકી (માનનીય સંસદસભ્ય શ્રી) હશે અને મુખ્ય મહેમાન તરીકે શ્રી રમણલાલ વોરા (માનનીય ધારાસભ્યશ્રી) (પૂર્વ માનનીય મંત્રીશ્રી, પૂર્વ માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત વિધાનસભા) હાજરી આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.