Western Times News

Gujarati News

દર્દીને દાખલ કરવાનું ડોકટર જ નક્કી કરે, વીમા કંપની નહીંઃ કોર્ટ

સુરત, વીમેદારને પેટની બીમારીના લીધે હોસ્પિટલમાં દાખલ થયા બાદ વીમા કંપનીએ તેનો કલેઈમ એ કારણસર નકારી કાઢયો હતો કે તેને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહતી. જોકે અરજદાર તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈ અને પ્રાચી દેસાઈની દલીલો બાદ ગ્રાહક કોર્ટે રૂ.૩.૯૭ લાખનો કલેઈમ ચુકવવાનો આદેશ આપ્યો હતો.

વીમા કંપનીને એક રીતે લપડાક આપતા કોર્ટે નોધ્યું હતું કે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો કે નહી તે તેની સારવાર કરનાર ડોકટર જ નકકી કરી શકે.

વરાછા ખાતે રહેતા યુવકને પેટમાં દુખાવો થતા તેણે નજીકના ડોકટરને બતાવ્યા બાદ મુંબઈની હોસ્પિટલમાં લઈ જવાયો હતો જયાં તેને એડમિત કરાયો હતો જેની સારવારનું બિલ રૂ.૩.૯૭ લાખ થયું હતું. જોકે વીમા કંપનીએ આ રકમ ચુકવવાથી ઈનકાર કરી દીધો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ જ થવાની જરૂર નહતી એમ જણાવ્યુ હતું. ગ્રાહક કોર્ટમાં દર્દીને જોઈ તપાસીને જ હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લેવાયો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.