Western Times News

Gujarati News

અમદાવાદથી દ્વારકાધીશના દર્શને જતા યાત્રિકો માટે ખુશખબર: વંદે ભારત ટ્રેનને ઓખા સુધી લંબાવાઈ

જામનગર- અમદાવાદ વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેનને ઓખા સુધી લંબાવાઈ-આગામી સપ્તાહમાં ઓખાથી અમદાવાદ સુધીની સફર શરૂ કરાશે

અમદાવાદ,  વંદે ભારત ટ્રેન ઓખા સુધી લંબાવવામાં આવશે. જી હા જામનગર- અમદાવાદ વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેનને ઓખા સુધી લંબાવવામાં આવી છે. આગામી સપ્તાહમાં ઓખાથી અમદાવાદ સુધીની સફર શરૂ કરાશે. જેનાથી યાત્રાધામ દ્વારકા અને બેટ દ્રારકા આવતા યાત્રિકો, પ્રવાસીઓને સરળતા અને સુવિધા મળી રહેશે.

લોકસભાની ચૂંટણી પહેલા દ્વારકા વિસ્તારને ભેટ આપવામાં આવી છે. વંદે ભારત ટ્રેન ઓખા સુધી લંબાવવામાં આવશે. જી હા જામનગર- અમદાવાદ વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેનને ઓખા સુધી લંબાવવામાં આવી છે. આગામી સપ્તાહમાં ઓખાથી અમદાવાદ સુધીની સફર શરૂ કરાશે.

જેનાથી યાત્રાધામ દ્વારકા અને બેટ દ્રારકા આવતા યાત્રિકો, પ્રવાસીઓને સરળતા અને સુવિધા મળી રહેશે. અમદાવાદ, રાજકોટ, જામનગર, સહીતના શહેરનો જોડતી ટ્રેનને દ્રારકા-ઓખા સુધી લંબાવવામાં આવી.
મહત્વનું છે કે દેવભુમિદ્રારકા જીલ્લાના આગેવાનો અને સાંસદ દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી.

થોડા દિવસ અગાઉ દ્વારકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સુદર્શન સેતુ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ બ્રિજની અનેક ખાસિયતો છે.સુદર્શન સેતુ બ્રિજ ૨૩૨૦ મીટર લાંબો તૈયાર કરવામાં આવ્યો છે. બ્રિજનો ૯૦૦ મીટરનો ભાગ કેબલ સ્ટેયડ છે. તેમજ ઓખા તરફ વાહન પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યુ છે. આ બ્રિજની પહોળાઇ ૨૭.૨૦ મીટર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.