Western Times News

Gujarati News

એસટી ડેપો ખાતે એનાઉન્સમેન્ટ દ્વારા લોકોને મતદાન માટે જાગૃત્ત કરવાનું અભિયાન

પ્રતિકાત્મક

આણંદ, લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ માટેનું મતદાન આગામી મે મહિનાની ૭મી તારીખના રોજ આણંદ જિલ્લામાં યોજાનાર છે, આ ચૂંટણી અન્વયે જિલ્લા અધિકારી પ્રવિણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને જિલ્લામાં મતદારોને મતદાન કરવા પ્રેરાય તે માટે વિવિધ કાર્યક્રમો દ્વારા મતદાર જાગૃત્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

મતદાર જાગૃત્તિ અભિયાનના ભાગરૂપે આણંદ એસટી ડેપો ખાતે એસટી બસ આવવાના અને જવાના સમયે કરવામાં આવતા એનાઉન્સમેન્ટ બાદ તરત જ આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન જરૂરથી કરવા મતદારોને અપીલ કરતું એનાઉન્સ્મેન્ટ બાદ તરત જ આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન જરૂરથી કરવા મતદારોને અપીલ કરતું એનાઉન્સમેન્ટ કરી મતદારોને તેમની મતદાનની ફરજ નિભાવવા જાગૃત્ત કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, મતદાન જાગૃત્તિ અભિયાનના જિલ્લાના નોડલ અધિકારીના માર્ગદર્શન હેઠળ આણંદ એસટી ડેપોના સિનિયર મેનેજર કમલેશ શ્રીમાળી દ્વારા એસટી ડેપો ખાતે મતદાન કરવાના દિવસે કોઈપણ મતદાર મતદાન કરવાથી બાકી ન રહી જાય તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. આમ એસટી ડેપોના કર્મચારી દ્વારા સવારના ૭ઃ૦૦ કલાકથી ૧૧ઃ૦૦ કલાક દરમિયાન અને બપોર બાદ ૪ઃ૦૦ કલાકથી ૬ઃ૩૦ કલાકના અીપ અવર્સ દરમિયાન મતદાન જાગૃત્તિ અર્થે દર ૩૦ મિનિટે એનાઉન્સમેન્ટ કરી આણંદ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટેના મતદાર જાગૃત્તિના યજ્ઞકાર્યમાં સહભાગી બની રહ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.