Western Times News

Gujarati News

7 લવિંગનું પાણી સવારે પીવાથી થાય છે આટલા રોગમાં ફાયદો

સ્વાસ્થ્ય હંમેશા સારું રહે તે માટે નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.જો રોજ સવારે ખાલી પેટ તમે લવિંગનું પાણી પીવાનું રાખો છો તો તબીયત સારી રહે છે. નિયમીત સવારે લવિંગનું પાણી પીવાથી ઘણી બધી બીમારીઓ થવાનું જોખમ ઘટી જાયય છે. રોજ સવારે ખાલી પેટ લવિંગનું પાણી પીશો તો તેનાથી શરીરને કેટલા ફાયદા થશે તે પણ જાણી લો.

લવિંગનું પાણી પીવાથી થતા ફાયદા

લિવર સંબંધીત રોગ લવિંગનું પાણી નિયમિત પીવાથી લિવરને ફાયદો થાય છે. લવિંગમાં રહેલા એન્ટીઓકિસડન્ટ લિવરની બીમારીઓને દુર કરવામાં મદદ કરે છે. રોજ રાત્રે એક ગ્લાસ પાણીમાં સાત લવિંગ પલાળી દેવામાં અને પાણીની ઢાંકીને રાખી દેવું. સવારે ચા પાણીમાંથી લવિંગ કાઢીને પાણી પી જવું. જે લોકોને લિવરની સમસ્યા હોય તેમના માટે પણ આ નુસખો અસરકારક છે.

પેટની સમસ્યાઃ- લવિંગના પાણીનું સેવન કરવાથી પેટની સમસ્યા પણ દુર થાય છે. નિયમીત સવારે આ પાણી પીવાથી પાચન સંબંધીત સમસ્યાઓ દુર થાયય છે. તેનાથી ડાયજેશન સુધરે છે. લવીંગનું પાણી પીવાથી પેટમાં દુખાવો, કબજીયાત અને પેટ ફૂલવા જેવી સમસ્યામાં પણ ફાયદો થાય છે. એક ગ્લાસ આ પાણી પીવાથી વાળ ખરતા અટકી જાયય છે. જો તમે તમારા વાળ પણ વધારે પ્રમાણમાં ખરી રહયા છે. તો સવારે લવિંગનું પાણી પીવાનું શરૂ કરો.

હાર્ટ પ્રોબ્લેમઃ- હાર્ટ સંબંધીત બીમારીમાં પણ લવિંગનું પાણી પીવાથી ફાયદો થાય છે. લવિંગના પાણીમાં એવા એન્ટિઓકિસડન્ટ હોય છે જે હાર્ટ સંબંધીત સમસ્યાઓનું જોખમ ઘટાડે છે. નિયમીત રીતે તેનો ઉપયોગ કરવાથી હૃદય સંબંધિત સમસ્યા મટે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.