Western Times News

Gujarati News

તેલુગુ અભિનેતા ચંદ્રકાંતે આ કારણસર કરી લીધી આત્મહત્યા

ચંદ્રકાંત અને પવિત્રા એક જ ફ્લેટમાં સાથે રહેતા હતા, કહેવાય છે કે બંને ખૂબ જ નજીક હતા જીવનસાથીના મૃત્યુથી દુઃખી, અભિનેતાએ કરી આત્મહત્યા! 

મુંબઈ,  દક્ષિણ ટીવી ઈન્ડસ્ટ્રીને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. તેલુગુ અભિનેતા ચંદ્રકાંતના નિધનના સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાએ આત્મહત્યા કરી લીધી છે. હૈદરાબાદના અલકાપુરમાં તેમના ઘરમાંથી તેમની લાશ મળી આવી હતી.

જો કે હાલ પોલીસે આ કેસને શંકાસ્પદ સંજોગોમાં મોત તરીકે નોંધ્યો છે. પરંતુ જો આપણે તેની સોશિયલ મીડિયા પોસ્ટ્‌સ પર નજર કરીએ તો, અભિનેતાએ તેના જીવનસાથી પવિત્ર જયરામના મૃત્યુથી દુઃખી થઈને આ પગલું ભર્યું હતું. પવિત્રાનું થોડા દિવસ પહેલા કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેલુગુ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય સ્ટારે હવે હંમેશા માટે આંખો બંધ કરી લીધી છે. Telugu actor Chandrakanth dies by suicide days after co-star Pavithra Jayaram lost life in car accident

શુક્રવારે, ૧૭ મેના રોજ, અભિનેતાની ડેડ બોડી હૈદરાબાદમાં તેના ફ્લેટમાંથી મળી આવી હતી. તેલંગાણાના મહબૂબનગરમાં કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા અભિનેતાના જીવનસાથી પવિત્રા જયરામના મૃત્યુના થોડા દિવસો બાદ જ આ આઘાતજનક સમાચાર આવ્યા છે. તે અલકાપુરના ફ્લેટમાં પવિત્રા સાથે રહેતો હતો. અહેવાલો અનુસાર, ૩૯ વર્ષના ચંદ્રકાંતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.

જીવનસાથીના મૃત્યુ બાદ તે ડિપ્રેશનથી પીડાતો હતો. નરસિંહ પોલીસે જણાવ્યું કે ચંદ્રકાંતના મિત્રો અને ચોકીદારે તેમને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. હાલમાં, પોલીસે કલમ ૧૭૪ સીઆરપીસી એટલે કે શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુનો કેસ નોંધ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચંદ્રકાંત સોશિયલ મીડિયા પર ડિપ્રેશન વિશે પણ પોસ્ટ કરી રહ્યો હતો. તે પોસ્ટ દ્વારા જણાવી રહ્યો હતો કે તે પવિત્રાને કેટલી મિસ કરી રહ્યો છે.

છેલ્લી પોસ્ટમાં તેણે એમ પણ લખ્યું હતું કે નન્ના…કૃપા કરીને હજુ બે દિવસ રાહ જુઓ. આ પોસ્ટમાં તેણે એક વીડિયો શેર કર્યો જેમાં ચંદ્રકાંત અને પવિત્રાના એકસાથે ઘણા ફોટા સામેલ છે. આ પછી ચંદ્રકાંતે બીજી એક પોસ્ટ શેર કરી, જેમાં તે પવિત્રા સાથે એક ઈવેન્ટમાં એન્ટ્રી કરતો જોવા મળ્યો હતો. આ પોસ્ટમાં બંનેની ઘણી તસવીરો સામેલ કરવામાં આવી હતી. દંપતી પ્રેમમાં ડૂબેલા દેખાતા હતા.

પોસ્ટની સાથે ચંદ્રકાંતે કેપ્શનમાં લખ્યું- ગુડ મો‹નગ નન્ના, હવે જિમનો સમય થઈ ગયો છે. અમારા પલંગે અમને બોલાવ્યા છે. લવ યુ પપ્પા. અભિનેતાની આ પોસ્ટ પર ચાહકો પણ ચિંતા વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. યુઝર્સે લખ્યું છે- તમારી દરેક પોસ્ટ ખૂબ જ ઉદાસ લાગે છે. એવું લાગે છે કે તમે ખૂબ જ ખરાબ વસ્તુઓ વિચારી રહ્યા છો. કૃપા કરીને તમારા મન પર નિયંત્રણ રાખો. ચંદ્રકાંતને ટીવી શ્રેણી ત્રિનયનીથી લોકપ્રિયતા મળી હતી.

પવિત્રા પણ ટીવી સ્ટાર હતી. પવિત્રાના છૂટાછેડા થઈ ગયા હતા, તેને બે બાળકો પણ છે, જે તેના પહેલા પતિ સાથે રહે છે. એવું માનવામાં આવતું હતું કે પવિત્રા અને ચંદ્રકાંતે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. જો કે આમાં કેટલું સત્ય છે તે અમે કહી શકતા નથી. પરંતુ કપલ રિલેશનશિપમાં હતું અને એક જ ફ્લેટમાં સાથે રહેતું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.