Western Times News

Gujarati News

નીલગાયના ટોળાએ આશાસ્પદ યુવકનો ભોગ લીધો

માલપુરના મેવડા ગામે ખેતરમાં રખોપુ કરતા યુવકને નીલગાયે અડફેટે લેતા કુવામાં પડતા મોત

અરવલ્લી જીલ્લામાં નીલ ગાય અને ભૂંડના ત્રાસથી ખેડૂતોની ઉંઘ હરામ થઈ ગઈ છે શિયાળુ પાકનો ખાત્મો બોલાવતા નીલગાય અને ભૂંડના ત્રાસથી બચવા માટે ખેડૂતોને રાત્રે ફરજીયાત   ઉજાગરા કરવાની નોબત આવી  છે ખેડૂતો રાત્રીના સુમારે પોતાના મહામુલા પાકને બચાવવા જીવન જોખમે ચોકી કરી રહ્યા છે ત્યારે માલપુર તાલુકાના મેવડા ગામે ખેતરમાં ખેતીનું રખોપુ કરવા ગયેલા યુવકને નીલગાયના ટોળાએ અડફેટે લેતા યુવક કુવામાં ખાબકતા મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું નીલગાયની અડફેટે યુવકનું મોત થતા માલપુર પોલીસે યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

સોમવારે રાત્રે રાબેતા મુજબ,માલપુર તાલુકાના મેવડા ગામના જગદીશભાઈ રમણભાઈ પટેલ (ઉં.વર્ષ-આશરે.૪૨) તેમના ખેતરમાં પકવેલા પાકનું નીલગાયોથી થતું ભેલાણ અટકાવવા ચોકી પહેરો કરવા ગયા હતા ખેતરમાં યમદૂત બનીને ત્રાટકેલા નીલગાયોના ટોળાને ભગાડવા જતા નીલગાયોનુ ટોળું જગદીશ ભાઈ તરફ ધસી આવતા નીલગાયની ટક્કરથી ખેડૂત ખેતરમાં રહેલા કુવામાં ખાબકતા કુવમાં રહેલા પાણીમાં ગૂંગળાઈ જવાથી મોત નિપજતા ભારે ચકચાર મચી હતી રાત્રીએ ખેતરનું રખોપુ કરવા જનાર

ખેડૂત ઘરે પરત ન  ફરતા પરિવારજનોએ શોધખોળ હાથધરાતા ખેડૂતનો મૃતદેહ કુવામાંથી મળી આવતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી માલપુર પોલીસે વિઠ્ઠલભાઈ વાલાભાઇ પટેલની જાહેરાતના આધારે મૃતક જગદીશભાઈ રમણભાઈ પટેલના મૃતદેહને પીએમ માટે માલપુર સીએચસીમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.