Western Times News

Gujarati News

લાલ કિલ્લા પાસે જ થયેલા પ્રચંડ વિસ્ફોટમાં વપરાયેલી i20 કારના માલિક કોણ ?

દિલ્હી લાલ કિલ્લા પાસે કારમાં પ્રચંડ વિસ્ફોટ: ૧૦ ના મોત -૧પથી વધુ વ્યક્તિઓને ગંભીર ઈજા: મૃત્યુ આંક વધવાની દહેશત: એફએસએલ સહિતની એજન્સીના અધિકારીઓએ પુરાવા એકત્ર કર્યા:  દિલ્હી, મુંબઈ સહિત દેશના મોટા શહેરોમાં હાઈએલર્ટ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંપૂર્ણ ઘટનાની જાણકારી આપી

દિલ્હી બ્લાસ્ટ કેસમાં i20 કારના ડ્રાઇવર અને ફરાર આતંકવાદી ડૉ. ઉમર મુહમ્મદ. –પોલીસે ડૉક્ટર ઉમરના બે ભાઈઓ, અશિક અહેમદ અને જફૂર અહેમદની અટકાયત કરી છે. સાથે જ, તેમની માતા શમીમા બીનોની પણ પોલીસે ધરપકડ કરી છે.

નવી દિલ્હી, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લાની સામે એક કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો છે, જેમાં ૧૦ લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. લાલ કિલ્લાની સામેનો વિસ્તાર સામાન્ય રીતે ભીડવાળો વિસ્તાર છે, જ્યાં દૈનિક બજાર ભરાય છે. દેશનું સૌથી લોકપ્રિય બજાર, ચાંદની ચોક પણ અહીં આવેલું છે, જ્યાં આખો દિવસ મોટી ભીડ ઉમટે છે.

લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં વપરાયેલી i20 કારના માલિકની ઓળખ હજુ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ નથી, કારણ કે કારના માલિકો વારંવાર બદલાયા હતા અને તેમાં નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

જોકે, તપાસમાં જે મુખ્ય નામો સામે આવ્યા છે તે નીચે મુજબ છે:

  • મોહમ્મદ સલમાન (Md Salman): દિલ્હી પોલીસે હરિયાણાના ગુરુગ્રામમાંથી સલમાનની અટકાયત કરી હતી, જે કારના રજિસ્ટર્ડ માલિક હતા અને કારના દસ્તાવેજો તેમના નામે હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમણે આ કાર દિલ્હીના ઓખલામાં રહેતા દેવેન્દ્ર નામના વ્યક્તિને વેચી દીધી હતી.
  • તારિક (Tariq): તપાસમાં જાણવા મળ્યું છે કે આ કાર છેલ્લે જમ્મુ-કાશ્મીરના પુલવામાના રહેવાસી તારિક નામના વ્યક્તિને વેચવામાં આવી હતી. આનાથી આ ઘટનામાં પુલવામાનું જોડાણ સામે આવ્યું છે.
  • ઉમર મોહમ્મદ (Umar Mohammad): કેટલાક અહેવાલો મુજબ, આ કારના છેલ્લા માલિક ઉમર મોહમ્મદ હતા અને વિસ્ફોટ સમયે તે કદાચ કાર ચલાવી રહ્યા હતા.

તપાસ એજન્સીઓ (NIA, NSG, દિલ્હી પોલીસ) હાલમાં કારના માલિકોની સંપૂર્ણ શૃંખલા (chain of ownership) અને વિસ્ફોટના હેતુને શોધવા માટે ઝીણવટભરી તપાસ કરી રહી છે. કારનો નંબર હરિયાણાનો (HR 26…) હતો.

દેશના Ìદય સમાન લાલ કિલ્લા પાસે જ થયેલા પ્રચંડ વિસ્ફોટથી સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. એફએસએલ સહિતની એજન્સીના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને પુરાવા એકત્ર કરી વિસ્ફોટ શેનાથી કરવામાં આવ્યો છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ વિસ્ફોટમાં ૨૪થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે જેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને મૃત્યુ આંક પણ વધવાની દહેશત સેવાઈ રહી છે. આ ઘટનાના પગલે દેશભરમાં ભારે રોષ જોવા મળી રહયો છે આ કૃત્ય આતંકવાદી હોવાનું મનાઈ રહયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંપૂર્ણ ઘટનાથી વાકેફ કર્યાં હતાં.

દિલ્હીના લાલ કિલ્લા પાસે એક મોટો કાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર ૧ પર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ કારમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે ત્રણ અન્ય વાહનો પણ લપેટમાં આવી ગયા હતા. દિલ્હી પોલીસે આ વિસ્તારને ઘેરી લીધો છે. દિલ્હી કારમાં બ્લાસ્ટના કારણે ૧૦ લોકોના મોત થયા છે.

દિલ્હી ફાયર વિભાગે જણાવ્યું હતું કે, લાલ કિલ્લા પાસે વિસ્ફોટ જેવો અવાજ થયો હોવાના ફાયર વિભાગને અહેવાલ મળ્યા હતા. સાત ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર ૧ પાસે એક કારમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે નજીકના ત્રણ વાહનોમાં આગ લાગી હતી. પરિસ્થિતિની તપાસ કરવા અને આગને કાબુમાં લેવા માટે ટીમો મોકલવામાં આવી છે.

મૃતકોના મૃતદેહને લોક નારાયણ જયપ્રકાશ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધી શકે છે. વિસ્ફોટ ખૂબ જ તીવ્ર હતો. દ્ગૈંછ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી રહી છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ૫-૬ વાહનો સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થયા છે.

ફાયર બ્રિગેડને સાંજે ૬ઃ૫૫ વાગ્યે વિસ્ફોટની માહિતી મળી હતી. દિલ્હી પોલીસની એક ટીમે તપાસ શરૂ કરી છે. વિસ્ફોટનું સ્વરૂપ નક્કી કરવા માટે ફોરેન્સિક અને ટેકનિકલ નિષ્ણાતો ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. વિસ્ફોટથી નજીકની સ્ટ્રીટલાઇટ પણ તૂટી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર ૧ પાસે થયેલા વિસ્ફોટને કારણે ઘણા ઘાયલ લોકોને ન્દ્ગત્નઁ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

વિસ્ફોટ બાદ, સમગ્ર દિલ્હીમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિ સૂચવે છે કે આ એક મોટું કાવતરું હોઈ શકે છે. દરમિયાન, નજીકના ચાંદની ચોક બજારને બંધ કરી દેવામાં આવ્યું છે. લાલની આસપાસનો સમગ્ર વિસ્તાર અને રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે તાત્કાલિક આ અંગે પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે સૌ પ્રથમ દિલ્હી, મુંબઈ સહિત દેશના મોટા શહેરોમાં હાઈ એલર્ટ આપી શંકાસ્પદો ઉપર નજર રાખવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ વિસ્ફોટના ઘેરા પ્રત્યાઘાત પડે તેવી સંપૂર્ણ શક્યતા છે.

લાલ કિલ્લા વિસ્તાર ‘હાઇ સિક્યુરિટી ઝોન’, સુરક્ષા દળો રહે છે તૈનાત
દિલ્હી ફાયર વિભાગે અહેવાલ આપ્યો છે કે મેટ્રો સ્ટેશનના ગેટ નંબર ૧ પાસે એક કાર વિસ્ફોટ થયો હતો, જેમાં નજીકની બે અન્ય કારમાં આગ લાગી હતી. નજીકમાં ઘણા લોકો હાજર હતા, જેમાં આઠ લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.

ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. લાલ કિલ્લાની સામેનો વિસ્તાર ‘હાઇ સિક્યુરિટી ઝોન’ છે. લાલ કિલ્લાની સુરક્ષા માટે તૈનાત દિલ્હી પોલીસ અને અન્ય સશસ્ત્ર દળોના કર્મચારીઓ અહીં તૈનાત છે.

લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પણ અહીં આવેલું છે, જ્યાં દરરોજ સેંકડો લોકો મુસાફરી કરે છે. વિસ્ફોટથી ચાંદની ચોકમાં વ્યાપક ગભરાટ ફેલાયો છે. ચાંદની ચોક બજાર માત્ર દિલ્હીવાસીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક મહત્વપૂર્ણ બજાર છે, જ્યાં દેશભરમાંથી લોકો જથ્થાબંધ અને છૂટક માલ ખરીદવા માટે આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.