Western Times News

Gujarati News

રાજ્યની તમામ જેલોમાં રહેલા 20 હજાર બંદિવાનોનું ટી.બી.નું નિદાન કરવામાં આવશે

અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પ્રિઝન ઇન્ટરવેન્શન પ્રોગ્રામ અંતર્ગત ઇન્ટેન્સીફાઇડ કેસ ફાઇન્ડિંગ કેમ્પેઇનનો શુભારંભ

રાજ્યની તમામ જેલોના 20 હજારથી વધુ બંદિવાનોને આવરી લેવામાં આવશે

અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પ્રિઝન ઇન્ટરવેન્શન પ્રોગ્રામ અંતર્ગત ઇન્ટેન્સીફાઇડ કેસ ફાઇન્ડિંગ કેમ્પેઇનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પેઇન ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી, જેલ વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન એઇડ્સ કંટ્રોલ સોસાયટી, એલાઇન્સ ઈન્ડિયા દિલ્હી તથા GSNP+ ના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પેઇન રાજ્ય પોલીસ વડા શ્રી કે.એલ.એન.રાવ તથા પોલીસ મહાનિરીક્ષક શ્રી અશ્વિન ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેમજ અમદાવાદ મધ્યસ્થ જેલના અધિક્ષક શ્રી ગૌરવ અગ્રવાલ અને ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. કાર્તિક શાહની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવ્યો હતો.

આ કેમ્પેઇન અંતર્ગત રાજ્યની તમામ જેલોમાં રહેલા બંદિવાનોનું હેન્ડ હેલ્ડ એક્સ-રે મશીન દ્વારા ચેસ્ટ એક્સ-રે કરી ટી.બી.નું વહેલું નિદાન કરવામાં આવશે. સાથે સાથે ટી.બી. મુક્ત ભારત અભિયાન સાથે સાંકળી એચ.આઈ.વી. અને સિફિલિસના નિદાન માટે પણ તપાસ કરવામાં આવશે.

આ કેમ્પેઇન હેઠળ ગુજરાતની વિવિધ જેલોમાં રહેલા અંદાજિત 20,000થી વધુ બંદિવાનોને આવરી લેવામાં આવશે, જેથી બંદિવાનોના આરોગ્યનું સમયસર નિદાન અને સારવાર સુનિશ્ચિત થઈ શકે.

આ પ્રસંગે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના ડૉ. અનુપ અમીન, શ્રી કમલેશભાઈ મેસવાણીયા તેમજ GSNP+ તરફથી શ્રી દક્ષાબેન પટેલ અને શ્રી હિનાબેન મોદી (AMSACS) સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.