Western Times News

Gujarati News

પેટલાદના યુવક સહિત ૪૫ લોકો સાથે રૂ. ૧.૪૮ લાખની છેતરપિંડી

આણંદ, આણંદ જિલ્લાના ખંભાત શહેરના મૂળ વતની હાલ વડોદરા શહેરમાં સ્ટાર રેસીડેન્સી વસંત વિહાર ભાયલી રોડ વિસ્તારમાં રહેતા એક શખ્સે ૪૫ જેટલા લોકોને વારાણસી ખાતે યોજાયેલી કથામાં લઈ જવા માટે રૂ.૧.૪૮ લાખ ઉપરાંતની રકમ ઓનલાઈન મેળવી લઈને ટિકીટ બુક નહીં કરાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ પેટલાદ શહેર પોલીસમથકમાં નોંધાઈ છે.

આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં નાના પંડયાની પોળ વિસ્તારમાં ક્›ણાલ કિરીટભાઈ ત્રિવેદી રહે છે. તેઓ દશ વર્ષ પહેલા પેટલાદ રાજકિય સંસ્કૃત પાઠ શાળામાં પૂજાપાઠ કરવા માટે જતા હતા. ત્યારે તેમની સાથે વડોદરા ખાતે રહેતા મૂળ ખંભાતના ચિરાગભાઈ મુકેશચંદ્ર જોશી પણ પૂજાપાઠ શીખવા માટે આવતા હોવાથી તેમની સાથે ઓળખાણ થઈ હતી.

તેમને અઢી માસ અગાઉ ચિરાગભાઈ જોષીએ કહ્યું હતું કે, વારાણસી ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન તારીખ ૫-૩-૨૦૨૬થી ૧૧-૩-૨૦૨૬ સુધીનું કરવામાં આવ્યું છે. જે કથામાં તમારે તેમજ બીજા લોકોને આવવું હોય તો જણાવજો તેમ કહેતા ક્›ણાલભાઈએ પોતાના ઓળખીતાઓને આ બાબતે વાત કરતા ૪૫ લોકો વારાણસી જવા માટે તૈયાર થયા હતા.

જેથી ચિરાગભાઈએ વડોદરાથી તારીખ ૪-૩-૨૦૨૬ના રોજ ટ્રેનમાં જવાનું છે તેમ જણાવીને એક વ્યકિતના રૂ. ૩૩૦૦ થશે જે ગુગલ પે થી મોકલી આપજો. જેથી રેલવેની ટિકીટ બુક કરાવી શકાય તેમ પણ જણાવ્યું હતું.જેથી ક્›ણાલભાઈએ પોતાના ઓળખીતા તમામ ૪૫ લોકો પાસેથી ગુગલ પે થી નાણાં મંગાવીને રૂ.૧,૪૮,૫૦૦ની રકમ ચિરાગભાઈ જોશીને ગુગલ પે થી મોકલી આપ્યા હતા.

દરમ્યાન વારાણસી જવાની તારીખ નજીકમાં આવતાં ચિરાગભાઈને રેલવેની ટિકીટ બુક થઈ હોય તો મોકલી આપવા જણાવતા જ ચિરાગભાઈએ એજન્ટે ટિકીટો બુક કરાવી નથી. જેથી તેમણે ટિકીટ કેન્સલ થઈ હોય તો પૈસા પરત આપો તેમ કહેતાં જ ચિરાગભાઈએ હાલ મારી પાસે નાણાં નથી આવશે ત્યારે આપીશ તેમ કહીને આજ દિન સુધી નાણાં પરત આપ્યા ન હતા.

જેથી ક્›ણાલભાઈ સહિતના લોકોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું.આ બનાવ અંગે ક્›ણાલભાઈ કિરીટભાઈ ત્રિવેદીએ પેટલાદ શહેર પોલીસમથકનો સંપર્ક સાધી સમગ્ર હકીકત જણાવતાં પોલીસે મુળ ખંભાતના હાલ વડોદરા ભાયલી રોડ વિસ્તારમાં રહેતા ચિરાગ મુકેશચંદ્ર જોશી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.