પ્રેમાનંદજી મહારાજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ‘રાધે-રાધે’ સાથે કર્યું સ્વાગત
વૃંદાવન – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જ્યારે આશ્રમ પહોંચ્યા ત્યારે સંત શ્રી પ્રેમાનંદ જી મહારાજે ખૂબ જ આત્મીયતાથી ‘રાધે-રાધે’ કહીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
સ્વાગત બાદ, બંને મહાનુભાવો વચ્ચે આધ્યાત્મિકતા, સમાજ કલ્યાણ અને વ્રજની પવિત્ર પરંપરાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચાઓ થઈ હતી. અહેવાલો મુજબ, આ મુલાકાત દરમિયાન પ્રેમાનંદ મહારાજે ‘નામ જપ’ (ભગવાનના નામનું સ્મરણ) ના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો.
President Droupadi Murmu met Premanand Maharaj at Shri Hit Radha Keli Kunj Ashram in Vrindavan, Uttar Pradesh.
View this post on Instagram
તેમણે જણાવ્યું હતું કે, માનવ જીવનના આધ્યાત્મિક ઉત્થાન માટે ‘નામ જપ’ એ સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે. મહારાજશ્રી સાથેની આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ પણ વ્રજની ભક્તિમય સંસ્કૃતિ પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો હતો. આ આધ્યાત્મિક મુલાકાત અત્યારે સોશિયલ મીડિયા અને શ્રદ્ધાળુઓમાં ભારે ચર્ચાનો વિષય બની છે.

