51.13 Mn. ટન માલ લોડિંગ સાથે અમદાવાદ મંડળે ભારતીય રેલવેમાં પ્રાપ્ત કર્યું 8મું સ્થાન
પશ્ચિમ રેલ્વે પર અમદાવાદ મંડળ પ્રથમ સ્થાન પર
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મંડળ રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશના નેતૃત્વમાં વર્ષ 2025-26 દરમિયાન પરિચાલન કાર્યક્ષમતા, માલ અને યાત્રી પરિવહન, મહેસૂલ સુદ્રઢીકરણ અને પાયાની સુવિધાઓના વિકાસના તમામ મુખ્ય પાસાઓમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરીને ઉત્કૃષ્ટ અને સંતુલિત પ્રદર્શન કર્યું છે.
વર્ષ 2025-26ની મુખ્ય સિદ્ધિઓ—
- ₹ 9193 કરોડની કુલ આવક મેળવવામાં આવી, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં ₹ 538 કરોડથી વધુનો વધારો નોંધાયો છે.
- ₹ 6867 કરોડની માલ પરિવહન આવક મેળવવામાં આવી, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 5.76% નો વધારો નોંધાયો છે
- ₹ 1814 કરોડની કોચિંગ આવક મેળવવામાં આવી, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 6.89% નો વધારો નોંધાયો છે.
- 51.13 મિલિયન ટન માલ લોડિંગ કરવામાં આવ્યું, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 9.30% નો વધારો નોંધાયો છે, જેના પરિણામે અમદાવાદ મંડળે ભારતીય રેલવેમાં 8મું અને પશ્ચિમ રેલવેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
- વર્ષ 2025-26માં 10 સ્થાયી ગતિ પ્રતિબંધો (Permanent Speed Restriction) સમાપ્ત કરવામાં આવ્યા.
- 26 રોડ અંડર બ્રિજ (RUB) અને 04 રોડ ઓવર બ્રિજ (ROB) નું બાંધકામ કરવામાં આવ્યું, જેનાથી સુરક્ષા અને ટ્રાફિકની સુગમતામાં વધારો થયો છે.
- 163 કિમી નવી રેલવે લાઈન ઉમેરવામાં આવી.
- 237 ટ્રેક કિમીમાં ટ્રેક્શન કામ પૂર્ણ કરવામાં આવ્યું.
- 69 હાઈ માસ્ટ ટાવર સ્થાપિત કરવામાં આવ્યા.
- 4000 રેક્સનું પરીક્ષણ કરવામાં આવ્યું, જેના લીધે માલ લોડિંગમાં વધારો નોંધાયો છે.
- કુલ 17 હજાર કર્મચારીઓમાંથી 2520 કર્મચારીઓને (આશરે 14%) બઢતી આપવામાં આવી, જે કર્મચારી વિકાસમાં વૃદ્ધિ દર્શાવે છે.
માલ લોડિંગમાં નોંધપાત્ર સિદ્ધિઓ
- 6,04,922 વેગનોનું કન્ટેનર લોડિંગ કરવામાં આવ્યું, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 4.06% નો વધારો નોંધાયો છે.
- 1,76,794 વેગનોમાં ખાતર લોડિંગ કરવામાં આવ્યું, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 24.61% નો વધારો થયો છે.
- 1,19,948 વેગનોમાં મીઠાનું લોડિંગ કરવામાં આવ્યું, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 27.85% નો વધારો નોંધાયો છે.
- ઓટોમોબાઈલના લોડિંગમાં અમદાવાદ મંડળ અગ્રેસર રહ્યું છે, 42,818 વેગનોનું લોડિંગ કરવામાં આવ્યું, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 11.61% નો વધારો નોંધાયો છે.
- 413 એલપીજીરેક્સનું લોડિંગ કરવામાં આવ્યું, જે પાછલા વર્ષની સરખામણીમાં સૌથી વધુ છે.
પરિચાલન પ્રદર્શનમાં સતત સુધારો
- દરરોજ સરેરાશ 2893.9 વેગન લોડિંગ કરવામાં આવ્યું, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 6.77% નો વધારો નોંધાયો છે.
- કુલ 72,014 કોચિંગ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 4.91% નો વધારો નોંધાયો છે.
- કુલ 24,748 રેક્સ લોડ કરવામાં આવ્યા, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 6.64% નો વધારો નોંધાયો છે.
- અમદાવાદ વિસ્તારમાં 7,049 રેક્સનું સંચાલન કરવામાં આવ્યું, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 3.00% નો વધારો નોંધાયો છે.
- દરરોજ સરેરાશ 206.20 ટ્રેનોનું ઇન્ટરચેન્જ કરવામાં આવ્યું, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 6.21% નો વધારો નોંધાયો છે.
મહેસૂલ અને યાત્રી સેવાઓમાં મજબૂત પ્રગતિ
- ₹ 1450.67 કરોડની બિન-ભાડા આવક મેળવવામાં આવી, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 35.83% નો નોંધપાત્ર વધારો નોંધાયો છે.
- ₹ 322.82 કરોડની સ્ટેશન પાર્કિંગ આવક મેળવવામાં આવી, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 32.59% નો વધારો નોંધાયો છે.
- ₹ 22.36 કરોડની અન્ય વિવિધ આવક મેળવવામાં આવી, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 22.03% નો વધારો નોંધાયો છે.
- ₹ 12.52 કરોડનો સ્વચ્છતા દંડ વસૂલવામાં આવ્યો, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 184.55% નો નોંધપાત્ર વધારો નોંધાયો છે.
- 408.10 લાખ યાત્રીઓનું પરિવહન કરવામાં આવ્યું, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 10.16% નો વધારો નોંધાયો છે.
નવી રેલવે સેવાઓ
- 26 મે 2025 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવામાં આવી હતી.
- 25 ઓગસ્ટ 2025 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કડી-સાબરમતી-કટોસણ રોડ વચ્ચે મેમુ (MEMU) સેવાનો શુભારંભ કરવામાં આવ્યો અને બેચરાજીથી કાર-લોડેડ માલગાડીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું.
- 16 ફેબ્રુઆરી 2026 થી અસારવા-ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસનું સંચાલન શરૂ કરવામાં આવ્યું.
- 31 માર્ચ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડબ્રહ્મા-હિંમતનગર-અમદાવાદ (અસારવા) નવી રેલ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના વિકાસમાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ
- 22 મે 2025 ના રોજ માનનીય વડાપ્રધાન દ્વારા સામખિયાળી સ્ટેશનનું અમૃત સ્ટેશન તરીકે ઉદઘાટન કરવામાં આવ્યું.
- સાબરમતી-બોટાદ (106 કિમી) રેલવે સેક્શનનું વિદ્યુતીકરણ પૂર્ણ કરીને ગુજરાતમાં 100% વિદ્યુતીકરણ સુનિશ્ચિત કરવામાં આવ્યું.
- મહેસાણા-પાલનપુર (65.10 કિમી) રેલવે સેક્શનનું ડબલિંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું.
- આંબલિયાસણ-વિજાપુર-મોટી આદરાજ (82 કિમી), કલોલ-કડી-કટોસણ રોડ (38 કિમી) અને બેચરાજી-રણુજ (40 કિમી) સહિતના વિવિધ રેલવે સેક્શનો પર કામ પૂર્ણ કરવામાં આવ્યું.
- 31 માર્ચ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીધામ-આદીપુર રેલવે લાઇનના મલ્ટી-ટ્રેકિંગ કામને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું.
