ગૌતમ અદાણીએ પરિવાર સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યા
હનુમાન જયંતિના પવિત્ર અવસરે ગુરુકુળની પણ મુલાકાત લીધી
નવી દિલ્હી: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ગુરુવારે તેમના પરિવાર સાથે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની મુલાકાત લીધી હતી. વર્ષ ૨૦૨૪માં મંદિરના ઉદ્ઘાટન બાદ પ્રથમવાર ભગવાન રામના જન્મસ્થળની મુલાકાતે આવેલા જાણીતા ઉદ્યોગપતિએ રામલલ્લાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા.
હનુમાન જયંતિનો પવિત્ર સંયોગ ગૌતમ અદાણીની આ મુલાકાત હનુમાન જયંતિના પવિત્ર દિવસે થઈ છે. આ પ્રસંગે તેમની સાથે પત્ની પ્રીતિ અદાણી અને પુત્ર કરણ અદાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. અદાણી પરિવારે મંદિરમાં પવિત્ર ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો અને પ્રાર્થના કરી હતી.
ભારતીય સંસ્કૃતિ અને આત્મવિશ્વાસનું પ્રતીક દર્શન બાદ મીડિયા સાથે વાત કરતા ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “મારા પરિવાર અને મને ભવ્ય શ્રી રામ મંદિરની મુલાકાત લેવાની તક મળી, જે અમારા માટે અત્યંત ભાવુક અને ગર્વની ક્ષણ છે. આ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ ભારતની સંસ્કૃતિ, એકતા અને આત્મવિશ્વાસનું પ્રતીક છે.”
अडानी ग्रुप के चेयरमैन गौतम अडानी आज सुबह अयोध्या पहुंचे। उन्होंने अपनी पत्नी प्रीति अडानी और परिवार के सदस्यों के साथ श्री राम जन्मभूमि मंदिर में रामलला के दर्शन-पूजन किए।
इस दौरान उन्होंने अयोध्या के निशुल्क गुरुकुल में बटुकों (छात्रों) से मुलाकात की और उन्हें सम्मानित भी… pic.twitter.com/VX3PXHxsz4— AMETHI LIVE (@AmethiliveCom) April 2, 2026
AI ના યુગમાં પણ સંસ્કૃતિનું જતન આજના આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓને જાળવી રાખવા પર ભાર મૂકતા તેમણે કહ્યું, “મેં પ્રાર્થના કરી છે કે ભગવાન શ્રી રામના આશીર્વાદ આપણા સૌ પર રહે અને આપણો દેશ વિકાસના પથ પર આગળ વધતો રહે. આજે મને ગુરુકુળની મુલાકાત લેવાની અને બાળકો સાથે સમય વિતાવવાની પણ તક મળી. આજના સમયમાં આપણી સંસ્કૃતિને જીવંત રાખવામાં ગુરુકુળોની ભૂમિકા ખૂબ મહત્વની છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “અદાણી ફાઉન્ડેશન દ્વારા આ સાંસ્કૃતિક વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે અમારી પરંપરાઓને નવી પેઢી સુધી પહોંચાડવા માટે જરૂરી તમામ સહયોગ પૂરો પાડીશું.”
મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય સ્વાગત ગૌતમ અદાણી મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યા બાદ મંદિર પરિસરમાં પહોંચ્યા હતા, જ્યાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે તેમને મંદિર સંકુલમાં ફેરવીને મંદિરની ભવ્યતા અને સ્થાપત્ય કલાથી માહિતગાર કર્યા હતા. અહેવાલો મુજબ, ગૌતમ અદાણી હનુમાન જયંતિ નિમિત્તે મંદિર પરિસરમાં ખાસ ‘હનુમાન ધ્વજ’ લહેરાવવાના કાર્યક્રમમાં પણ હાજરી આપી શકે છે.
