સરકારે ઉદ્યોગોને અપાતા કોમર્શિયલ એલપીજી સપ્લાયમાં વધારો કર્યો
Files Photo
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે ઉદ્યોગો માટે કમર્શિયલ એલપીજી સપ્લાયનો વ્યાપ વધારીને પશ્ચિમ એશિયા યુદ્ધ અગાઉના વપરાશની સ્થિતિએ લઈ જવાનો નિર્ણય કર્યાે છે. જે મુજબ ઉદ્યોગોને વપરાશના ૭૦ ટકા સુધી યુનિટ મળવાપાત્ર રહેશે અને સેકટરલ કેપ પ્રતિ દિન ૨૦૦ ટનની રખાશે.
કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે રાજ્ય સરકારોને આપેલી લેખિત સૂચના અન્વયે કમર્શિયલ એલપીજી સપ્લાય માટે પાત્રતા ધરાવતા ઉદ્યોગોમાં પોલીમર, કૃષિ, પેકેજિંગ, પેઈન્ટ્સ, મેટલ, ગ્લાસ, ફાર્મા, ફૂડ, યુરેનિયમ, હેવી વોટર, સીરામિક, ફાઉન્ડ્રી, ફો‹જગ યુનિટ્સ અને એરોસોલ મેન્યુફેક્ચરર્સનો સમાવેશ થાય છે.
પ્રોસેસિંગ માટે એલપીજી અનિવાર્ય હોય અને તેના વિકલ્પમાં નેચરલ ગેસનો ઉપયોગ થઈ શકે તેમ ન હોય તેવા ઉદ્યોગોને પ્રાથમિકતા આપવા કેન્દ્ર દ્વારા સૂચના અપાઈ છે. અગાઉ ઈરાન-યુએસ યુદ્ધના કારણે ઊભા થયેલા તણાવની સ્થિતિમાં ઈંધણ સપ્લાયમાં સંતુલન રાખવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે.
રાજ્યોને ફાળવણી મુજબ કામગીરી હાથ ધરવા અને એકંદરે સેકટરલ લિમિટ્સનું પાલન કરવા ખાસ તાકિદ કરાઈ છે.વિશ્લેષકોના મતે પુરવઠામાં અનુભવાતી અડચણ દૂર કરી ઔદ્યોગિક ઉત્પાદન પર વિપરિત અસર ટાળવા આ નિર્ણય લેવાયો છે. તેના અસરકારક અમલ માટે સરકારે ઘરેલુ વપરાશ તથા ટ્રાન્સપોર્ટ સેકટર માટે સીએનજી-પીએનજીના પુરવઠાને વિક્ષેપ રહિત જાળવી રાખ્યો છે.
ઓઈલ સેક્રેટરી નીરજ મિત્તલે રાજ્ય સરકારોને લકેલા પત્ર મુજબ, માર્ચ-૨૦૨૬ પહેલા એલપીજી વપરાશનું જેટલું સ્તર હોય તેના ૭૦ ટકા જથ્થો નિયત ઉદ્યોગોને પાળવવામાં આવશે. સેકટર દીઠ પ્રતિ દિન ૨૦૦ ટનની મર્યાદા રાખવામાં આવી છે.SS1MS
