અમદાવાદના 95 ટકા રહેવાસીઓ કહે છે કે પરિવાર સાથેનો સૌથી આનંદદાયક સમય રાત્રિભોજનનો હોય છેઃ અભ્યાસ
અમદાવાદ, આધુનિક ભારતીય ઘરો અને કામ કરવાના સ્થળો માટે ઉત્તમ ડિઝાઇનને સરળતાથી ઉપલબ્ધ બનાવવાની તથા વધુ સારા રિટેલ અનુભવ પ્રદાન કરવાની પોતાની પ્રતિબદ્ધતા મજબૂત બનાવતા, ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપની અગ્રણી ફર્નિચર બ્રાન્ડ ઇન્ટેરિયો બાય ગોદરેજ આગામી ત્રણ વર્ષમાં અમદાવાદમાં 25 ટકા માર્કેટ શેર મેળવવાનો લક્ષ્ય ધરાવે છે. બ્રાન્ડને નાણાંકીય વર્ષ 2026 દરમિયાન અમદાવાદમાંથી રૂ. 40 કરોડની આવક પ્રાપ્ત થવાની અપેક્ષા છે, જે વિસ્તારમાં કુલ 16 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
‘મોમેન્ટ્સ ધેટ મેટર’ નામના અભ્યાસમાં, જે અમદાવાદ સહિત આઠ શહેરોમાં કરવામાં આવ્યો હતો, શહેરના ઘરમાલિકો પોતાના નિવાસસ્થાનો સાથે કેવી રીતે જોડાય છે તે અંગે વર્તણૂક આધારિત સમજણ આપવામાં આવી છે. અભ્યાસ મુજબ અમદાવાદના 53 ટકા ઉત્તરદાતાઓ બેડરૂમને “શાંતિ મેળવવા માટેનું” મુખ્ય સ્થળ માને છે, જે પ્રાઇવસી માટેની જગ્યા પૂરી પાડે છે અને માનસિક સંતુલન જાળવવામાં તથા સંબંધોને મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે.
ઉપરાંત, 95 ટકા લોકો રાત્રિભોજનના સમયને પરિવાર સાથેના સંબંધોને મજબૂત બનાવવા માટેનો સૌથી આનંદદાયક સમય માને છે, જે ઘરેલુ જીવનમાં સહભાગિતા અને નિયમિતતા દર્શાવે છે. વધુમાં, 87 ટકા ઉત્તરદાતાઓ સાંજે પોતાના દિવસના અનુભવ પ્રિયજનો સાથે વહેંચવાનું મહત્વ આપે છે, જે દર્શાવે છે કે ઘર રોજિંદા જીવનમાં વિચારવિમર્શ અને જોડાણ બંને માટેનું કેન્દ્ર બને છે.

આ અંગે ડૉ. દેવ નારાયણ સરકાર, સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અને હેડ – કન્ઝ્યુમર બિઝનેસ, ઇન્ટેરિયો બાય ગોદરેજે જણાવ્યું હતું કે, “ ‘મોમેન્ટ્સ ધેટ મેટર’ અભ્યાસ અમદાવાદના રહેવાસીઓ પોતાના ઘરો સાથે કેવી રીતે જોડાય છે અને તેનો અનુભવ કરે છે તે અંગે મહત્વપૂર્ણ માહિતી આપે છે. રહેણાંક વિસ્તારોમાં મજબૂત વૃદ્ધિ અને નવા હાઉસિંગ પ્રોજેક્ટ્સના વધતા વિકાસને કારણે અમદાવાદ અમારા માટે મહત્વપૂર્ણ બજાર બની રહ્યું છે.
માત્ર પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ શહેરમાં 6,745 નવા યુનિટ લોન્ચ થયા છે, જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા અને શહેરી વિકાસથી પ્રેરિત છે. અમારું મુખ્ય ધ્યાન એવા ફર્નિચર ડિઝાઇન કરવા પર છે જે રોજિંદા જીવનને સરળ બનાવે અને ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો સાથે સુસંગત રહે.
આ કારણે સુવ્યવસ્થિત, મોડ્યુલર અને સંપૂર્ણ હોમ સોલ્યુશન્સની માંગમાં વધારો જોવા મળે છે. પશ્ચિમ બજારમાંથી રૂ. 200 કરોડની આવક મેળવવાના લક્ષ્ય સાથે 22 નવા સ્ટોર્સ શરૂ કરવાની અમારી યોજના છે અને અમે દરેક એવા ઘરમાં હાજર રહેવા પ્રતિબદ્ધ છીએ, જ્યાં જીવનની મહત્વપૂર્ણ પળો રચાય છે.”
હાલમાં ઇન્ટેરિયો અમદાવાદમાં મજબૂત રિટેલ અને વિતરણ નેટવર્ક ધરાવે છે, જેમાં 8 શોરૂમ, 25 ડીલર્સ અને 70 રિટેલર્સનો સમાવેશ થાય છે, તેમજ ગુજરાતભરમાં તેની વ્યાપક હાજરી છે. રિબ્રાન્ડિંગ બાદ, ઇન્ટેરિયોનું ધ્યાન આધુનિક ભારતીય ઘરોની જરૂરિયાતોને પહોંચી વળવા પર કેન્દ્રિત છે, જેમાં ફર્નિચરથી આગળ વધીને આરામ, કારીગરી અને લાંબા ગાળાની ઉપયોગિતા પર આધારિત સંપૂર્ણ હોમ સોલ્યુશન્સ પ્રદાન કરવામાં આવે છે.
બ્રાન્ડ નાણાંકીય વર્ષ 2029 સુધીમાં અમદાવાદમાં 5 નવા ફ્રેન્ચાઇઝ સ્ટોર્સ શરૂ કરવાની અને 50થી વધુ રિટેલર્સ ઉમેરવાની યોજના ધરાવે છે, જેથી સ્થાપિત અને નવા વિકસતા વિસ્તારોમાં બજાર સુધી પહોંચ વધુ મજબૂત બને. આ સાથે, ઇન્ટેરિયો મલ્ટી-ફોર્મેટ સ્ટ્રેટેજી દ્વારા પોતાના રિટેલ મોડલને વધુ અનુભૂતિપૂર્ણ બનાવી રહ્યું છે, જેમાં ડિજિટલ અને ફિઝિકલ રિટેલનો સંકલિત અનુભવ આપવામાં આવે છે.
દેવે વધુમાં ઉમેર્યું હતું કે, “ગુજરાતમાં નાણાંકીય વર્ષ 2029 સુધીમાં 25 નવા ડીલર સ્ટોર્સ શરૂ કરવા અને 50થી વધુ રિટેલર્સ ઉમેરવાની અમારી યોજના છે, જેથી શહેર અને વિકસતા બંને બજારોમાં સુલભતા વધારી શકાય.”
ઇન્ટેરિયો સતત પોતાના પ્રોડક્ટ પોર્ટફોલિયોને વિસ્તારી રહી છે, જેમાં અપમોડ્સ, એક્સપેન્ડેબલ ડાઇનિંગ ટેબલ્સ, ક્રિએશન વોર્ડરોબ્સ અને મોડુનેસ્ટ જેવી પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે, જે કોમ્પેક્ટ ઘરો અને બદલાતી જગ્યા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.
બ્રાન્ડે સોફ્ટ ફર્નિશિંગ્સની નવી રેન્જ રજૂ કરીને હોમ અપગ્રેડને સરળ અને ઝડપી બનાવવાનો પ્રયાસ કર્યો છે, જેમાંથી રૂ. 5 કરોડની આવકનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કિચન સેગમેન્ટમાં, ઇન્ટેરિયોની તાજેતરમાં લોન્ચ કરાયેલી સ્ટીલ શેફ રેન્જ મીડ-પ્રિમિયમ બજારને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જેમાં ટકાઉપણું અને જગ્યા ઉપયોગની કાર્યક્ષમતા પર ભાર મુકાયો છે.
