Western Times News

Gujarati News

કાલે નક્કી થશે નિર્ભયાના દોષીતોની ફાંસીની તારીખ: કોર્ટ ચોથીવાર જાહેર કરશે ડેથ વોરંટ

નવી દિલ્હીઃ નિર્ભયાના દોષીતોની ફાંસીની તારીખ અને સમય કાલ એટલે કે ગુરૂવાર (5 માર્ચ)એ નક્કી થઈ જશે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગુરૂવારે તિહાડ જેલ પ્રશાસનની નવું ડેથ વોરંટ જાહેર કરવાની અરજી પર સુનાવણી કરતા દોષીતોને નોટિસ ફટકારી દીધી છે. હવે ગુરૂવારે બપોરે 2 કલાકે કોર્ટમાં સુનાવણી થશે અને હવે જે ડેથ વોરંટ જારી થશે તે અંતિમ હશે.

આ પહેલા આજે નિર્ભયા મામલામાં દોષી પવનની દયા અરજી રાષ્ટ્રપતિએ નકારી દીધી હતી. આ પહેલા સોમવારે સુપ્રીમ કોર્ટથી પવનની ક્યૂરેટિવ પિટિશન પણ રદ્દ થઈ છે. આ સાથે મામલાના ચારેય દોષીતોની અપીલ, પુનર્વિચાર અરજી, ક્યૂરેટિવ પિટિશન અને દયા અરજીનો ઉકેલ આવી ગયો છે. એટલે કે ચારેય દોષીતોના તમામ કાયદાકીય અધિકારનો ઉપયોગ થઈ ચુક્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.