Western Times News

Gujarati News

કોહરામ વચ્ચે રોકાણકારોની સંપત્તિ આઠ લાખ કરોડ ઘટી

files Photo

મુંબઈ: શેરબજારમાં આજે ગુરૂવારના દિવસે પણ હાહાકારની Âસ્થતી રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ સેંસેક્સ રેકોર્ડ નીચી સપાટી પર પહોંચી જતા દલાલ સ્ટ્રીટમાં રોકાણકારોની સંપત્તિમાં ૮૫૬૬૮૯.૬૨ કરોડનુ નુકસાન થયુ હતુ. આની સાથે જ રોકાણકારોની સંપત્તિ ઘટીને ૧૨૮૫૬૮૬૯.૧૦ કરોડ થઇ ગઇ હતી. આજના દિવસે પણ કારોબાર શરૂ થતાની સાથે જ અંધાધુંધી ફેલાઇ ગઇ હતી.

શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા ચિંતાનુ મોજુ રહ્યુ હતુ. આજે કારોબારીઓએ તીવ્ર મંદી વચ્ચે મિનિટનોના ગાળામાં લાખો કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. મૂડીરોકાણકારોની સંપત્તિ હાલમાં સતત ઘટી રહી છે. ગયા શુક્રવારના દિવસે અને છેલ્લા શુક્રવારના દિવસે પણ મૂડીરોકાણકારોએ જંગી સંપત્તિ ગુમાવી દીધી હતી. કારોબાર શરૂ થતાંની સાથે જ વૈશ્વિક બજારોની અસર વચ્ચે કારોબારીઓ નુકસાનમાં ગરકાવ થયા હતા. દુનિયાભરના બજારોમાં વેચવાલીનું દબાણ વધી ગયું છે. સ્થાનિક શેરબજારમાં પણ આજે કોહરામની સ્થિતિ રહી હતી. આજે મિનિટના ગાળામા ંજ કારોબારીઓએ લાખો કરોડ ગુમાવી દીધા હતા.

આજે શેરબજારમાં બજારમાં રહેલી Âસ્થતિનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે, માત્ર મિનિટોમાં જ બીએસઈના રોકાણકારોએ આશરે લાખો કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. બજારોમાં અંધાધૂંધીની અસર વચ્ચે શેરબજારમં મંદી રહી હતી. મોટાભાગના શેરોમાં અફડાતફડી રહી હતી. શેરબજારમાં ઘટાડા માટે જુદા જુદા પરિબળો રહ્યા હતા. કારોબાર શરૂ થતાની સાથે જ અંધાધુંધી ફેલાઇ ગઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.