Western Times News

Gujarati News

કોરોનાને લઇને સાચી માહિતી આપો, અફવા ન ફેલાવો: મોદીની દેશને અપીલ

નવીદિલ્હી, જનતા કર્ફ્યૂ પહેલાં પીએમ નરેન્દ્ર મોદીએ દેશના લોકોને અપીલ કરી છે કે કોરોના વાઈરસ વિશે સાચી માહિતીઓ શેર કરો અને ખોટી રીતે ડર ન ફેલાવો. પીએમએ એક પછી એક ટિ્‌વટ કરીને કહ્યું કે, લોકો કોરોના વાઈરસ વિશે સાચી માહિતી શેર કરે અને ખોટી માહિતી ન ફેલાવી જોઈએ. પીએમએ કહ્યું છે કે, લોકોએ સાચી માહિતી શેર કરવા માટે ભારત સરકારે એક વ્હોટ્‌સએપ નંબર જાહેર કર્યો છે. પીએમએ કહ્યું છે કે, આ નંબર દ્વારા લોકો સાચી અને ભારત સરકાર દ્વારા પ્રમાણીત માહિતી મળવી શકશે.

વડાપ્રધાને કહ્યું છે કે, +૯૧૯૦૧૩૧૫૧૫૧૫ નંબર પર મેસેજ મોકલીને આ સેવા સાથે જોડાઈ શકાય છે. પીએમ મોદીએ માઈક્રો બ્લોગિંગ સાઈટ ટિ્‌વટરના વખાણ કર્યા છે. પીએમએ કહ્યું છે કે, ટિ્‌વટરે કોવિડ-૧૯ નામનું એક ખાસ પેજ લોન્ચ કર્યું છે. અહીં કોરોના વાઈરસ વિશે પ્રમાણિત સૂચના મેળવી શકાય છે. વડાપ્રધાને ગૂગલના પણ વખાણ કરતાં કહ્યું છે કે, આ ટેક કંપની પણ તેમની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લોકોને જાગ્રત કરી રહ્યા છે. ગૂગલે કોરોનાથી જાગ્રત કરવા માટે પાંચ કામ કરવાના કહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.