Western Times News

Gujarati News

સત્સંગીઓ ઘરે રહેને જ ભગવાનનું સ્મરણ કરી શકે તે માટે કુમકુમ મંદિર દ્રારા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ચેષ્ટા તૈયાર કરવામાં આવી

 તા. ૧૬ એપ્રિલને ગુરૂવારે રાત્રે ૯ – ૦૦ વાગ્યાથી સારાય વિશ્વમાં સૌ તેનો લાભ લઈ શકશે.

 સત્સંગીજનો આ પ્રોગ્રામ દ્રારા એક જ સ્ક્રીન ઉપર આ ચેષ્ટા વાંચી શકાશે,શ્રવણ કરી શકશે અને સાથે સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાનની મનોહર મૂર્તિના દર્શન પણ કરી શકાશે.

આવા અમારી મૂર્તિના પદનું જે ગાન કરે તેને તો અમે સાષ્ટાંગ દંડવત્‌ કરીએ – શ્રી સ્વામિનારયણ ભગવાન.

શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગર દ્રારા મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા થી કુમકુમ મંદિર દ્રારા શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્વભાવિક ચેષ્ટા તૈયાર કરવામાં આવી છે.

જેનું વિમોચન કુમકુમ મંદિરના મહંત સદ્‌ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી તા. ૧૬ એપ્રિલને ગુરુવારે રાત્રે ૮-૩૦ વાગે કરશે તેનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે અને ત્યારબાદ રાત્રે ૯-૦૦ વાગે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટયુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે. ત્યારબાદ સારાય વિશ્વમાં સૌ તેનો લાભ લઈ શકશે.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ ચેષ્ટા ના પ્રોગ્રામ અંગે જણાવ્યું હતું કે, ચેષ્ટા તૈયાર કરવામાં આવી છે તેની એ વિશિષ્ટતા છે કે, સત્સંગીજનો આ ચેષ્ટા એક જ સ્ક્રીન ઉપર વાંચી શકશે, શ્રવણ કરી શકશે અને સાથે સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાનની મનોહર મૂર્તિના દર્શન પણ કરી શકશે.

આ ચેષ્ટાના પદની રચના આજથી આશરે ર૦૦ વર્ષ પહેલા શ્રી પ્રેમાનંદસ્વામીએ કરી હતી અને તે પદો શ્રી સ્વામિનારાયણ ભગવાનને બતાવ્યા હતા ત્યારે શ્રી હરિેએ સ્વયં કહયું હતું કે, અમારી મૂર્તિનું જેને આવું ચિંતન થતું હોય અને જે આવા પદોનું ગાન કરે તેના ઉપર અમારો અતિશય રાજીપો છે, અમને તો એમ થાય છે કે, આવા પદોની રચના કરનાર શ્રી પ્રેમાનંદસ્વામીને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરીએ…. ર૦૦ વર્ષથી આ ચેષ્ટાના પદો સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો અને સત્સંગીઓના ઘરે રોજ – રોજ સારાય વિશ્વમાં આજેય ગવાય છે. એવો આ ચેષ્ટાનો મહિમા છે. તેથી લોકડાઉનના સમયમાં સૌ લાભ લઈ શકે તે માટે કુમકુમ મંદિર દ્રારા આ ચેષ્ટા તૈયાર કરવામાં આવી છે. સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.