Western Times News

Gujarati News

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ મંદિર દ્રારા ગુજરાતના ૬૦ સ્થાપના દિને પ્રજાના સ્વાસ્થ્યના સુખકારી માટે પ્રેઝન્ટેશનના માધ્યમથી પ્રાર્થના કરવામાં આવશે

ગુજરતના સ્થાપના દિન પ્રસંગે ઓનલાઈન સૌ સત્સંગીઓ ભગવાનને પ્રાર્થના કરે તે માટેનું માનસીપૂજા ના વિષય ઉપર પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું.

આ પ્રેઝન્ટેશનમાં સૌ ગુજરાતની પ્રજા ના સ્વાસ્થ્ય માટે અને ડોકટરો, મીડીયા, સરકારી કર્મચારીઓ માટે વિશેષ પ્રાર્થના કરવી તેવી મંદિરના મંહત સદ્‌ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ સૌને આજ્ઞા કરી છે.

૧ મે ના રોજ સવારે ૯ – ૦૦ વાગે મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી લોકાર્પણ કરશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગર દ્રારા મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા થી કુમકુમ મંદિર દ્રારા ગુજરાતના સ્થાપના દિન પ્રસંગે શ્રી હરિની માનસીપૂજા કરવી એ માટે પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું.

કુમકુમ મંદિર ના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જેનું વિમોચન કુમકુમ મંદિરના મહંત સદ્‌ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના હસ્તે સવારે ૯-૦૦ વાગે કરવામાં આવશે. પરંતુ હાલ સત્સંગીઓને ઓનલાઈન નિત્ય રાત્રે ૮-૧પ થી સત્સંગ સભાનો લાઈવ લાભ આપવામાં આવે છે તે માટે આ પ્રેઝન્ટેશન સૌને ત્યારે દેખાડવામાં આવશે.

રાત્રે ૯ – ૦૦ વાગ્યા પછી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટયુબ ચેનલ ઉપર થી સારાય વિશ્વમાં સૌ તેનો લાભ લઈ શકશે.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ માનસીપૂજાના પ્રેઝન્ટેશન અંગે જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વંય છેલ્લા પ્રકરણના ર૩ મા વચનામૃતમાં દરેક સત્સંગીઓને દિવસમાં પાંચ વખત માનસીપૂજા કરવાની આજ્ઞા કરેલી છે. હાલ, લોકડાઉનના સમયમાં આ માનસીપૂજા સૌ ઘર બેઠા સારી કરી શકે તે માટે આ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. આ માનસીપૂજા ના કીર્તનની રચના શ્રી મુકતાનંદસ્વામીએ આજથી ર૦૦ વર્ષ પૂર્વે કરેલી છે. અને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ કીર્તન ગવાય છે અને તે પ્રમાણે સૌ કોઈ માનસીપૂજા કરે છે.

ગુજરાતના ૬૦ મો સ્થાપના દિન હોવાથી સમગ્ર ગુજરાતની પ્રજાનું સ્વાસ્થય સુખમય રહે, કોરોના વાયરસની મહામારી વ્હેલી તકે દૂર થાય અને જે ડોકટરો,સરકારી કર્મચારીઓ,મીડીયાના કર્માચારીઓ અને એ સિવાય જે કોઈ સમાજ લક્ષી પ્રવૃત્તિઓ કરતાં હોય તે સૌ કોઈનું શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વાસ્થ્ય સારું રાખે તે માટે મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ પ્રાર્થના કરી છે અને સૌ કોઈ સંતો ભકતોને પ્રાર્થના કરવા માટે આજ્ઞા કરેલ છે. આ સંદેશો પ્રેઝન્ટેશનના માધ્યમ થી દેશ વિદેશના ભકતો સુધી પહોંચે તે માટેનું આયોજન કરવામાં આવેલું છે. સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.