Western Times News

Gujarati News

મહિસાગર જિલ્લામાં હાલ ૬૪ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ

લુણાવાડા,   સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે જિલ્લા કલેકટર શ્રી આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી સુ.શ્રી નેહા કુમારી ના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.

આજે જિલ્લાના લુણાવાડા અર્બનના ૩૫ અને ૩૦ વર્ષીય પુરુષ, સંતરામપુર અર્બન ના ૬૨ વર્ષીય પુરુષ, સંતરામપુર તાલુકાના ગાડીયાના ૪૨ વર્ષના પુરુષ, નરસિંગપુર ના ૪૫ વર્ષના પુરુષ, ખાનપુર તાલુકાના ટોકના ભેવાડા ૪૭ વર્ષના પુરુષ, લીંબડીયાના ૪૭ વર્ષીય પુરુષ અને ખાતુ ડામોરની મુવાડીના ૨૦ વર્ષના પુરુષ, વીરપુરના ૨૬ વર્ષના પુરુષ અને વિરપુર તાલુકાના કણજાવના ૩૮ વર્ષના પુરુષ, બાલાસિનોર તાલુકાના વડદલાના ૨૧, ૨૨ અને ૨૩ વર્ષીય મહિલા, બાલાસિનોર અર્બનના ૨૪ – ૨૧ અને ૩૦ વર્ષીય મહિલા, વીરપુરના ૪૫ વર્ષીય પુરુષ અને લુણાવાડાના ૩૫ વર્ષના પુરુષ કે જેવો કૂવેટથી આવેલ છે તેમના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

અત્યાર સુધીમાં તારીખ ૨૭-૫-૨૦૨૦ ના સાંજના ૬ વાગ્યા સુધીમાં જિલ્લામાં કોરોના (COVID 19)ના ૧૧૨ કેસ પોઝીટીવ આવેલ છે.આજે સંતરામપુર અર્બનના ૬૨ વર્ષીય પુરુષે કોરોનાને મહાત આપતા  અત્યાર સુધીમાં કુલ ૪૬ કોરોના સંક્રમિત દર્દીઓ સંપૂર્ણ રીતે સાજા થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૨ વ્યક્તિનું મૃત્યુ થયુ છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/કોરોનાના કુલ ૧૮૫૩ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૩૭૯૫ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા  આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું છે.

જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૫૫ દર્દીઓ હાલ કે.એસ.પી. હોસ્પિટલ ખાતે તેમજ ૪ દર્દી ગોત્રી મેડીકલ કોલેજ ખાતે તેમજ એક દર્દી વડોદરા ખાતેની ટ્રીકલર હોસ્પિટલ તેમજ એક દર્દીને હોમ આઈસલેશનમાં, એક વડોદરા ખાતે આઇસોલેશન વોર્ડ જ્યારે બે દર્દીઓ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લુણાવાડા ખાતે સારવાર હેઠળ છે.  કોરોના પોઝીટીવ આવેલ ૬૪ દર્દીઓ  સામાન્ય હાલતમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.