Western Times News

Gujarati News

ભારતમાં સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસ ખતમ થવાનો દાવો

નવીદિલ્હી, કોવિડ-૧૯ મહામારી મધ્ય સપ્ટેમ્બરની આસપાસ ભારતમાં ખતમ થઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના બે જાહેર આરોગ્ય વિશેષજ્ઞોએ આ દાવો કર્યો છે. જેઓએ આ નિષ્કર્મ પર પહોંચવા માટે ગાણિતિક સ્વરૂપ પર આધારીત વિશ્લેષણનો સહારો લીધો છે. વિશ્લેષણથી એ પ્રદર્શિત થાય છે કે જ્યારે ગુણાંક ૧૦૦ ટકા પર પહોંચી જશે તો આ મહામારી ખતમ થઈ જશે.

આ વિશ્લેષણ ઓનલાઇન જર્નલ એપીડેમીયોલોજી ઇન્ટરનેશનલમાં પ્રકાશિત થયું છે. આ અધ્યયન સ્વાસ્થ્ય મંત્રાલયના ડા. અનિલ કુમાર અને રૂપાલી રોયે કર્યા છે. તેઓએ આ નિષ્કર્ષ પર પહોંચવા માટે બેલીના ગાણિતિક સ્વરૂપનો ઉપયોગ કર્યો. આ ગાણિતિક સ્વરૂપ કોઈ મહામારીના પૂર્ણ આકારના વિતરણ પર વિચાર કરે છે,

જેમાં સંક્રમણ અને તેનાથી બહાર આવવું, બંને સામેલ છે. આ સ્વરૂપ નિરંતર સંક્રમણના પ્રકારના રૂપમાં ઉપયોગમાં લેવાયું, જેનાથી સંક્રમિત વ્યક્તિ સંક્રમણના સ્ત્રો ત્યાં સુધી બની રહેશે, જ્યાં સુધી આ ચક્રથી તે સંક્રમણ મુક્ત ન થઈ જાય કે તેનું મોત ન થઈ જાય. સાથોસાથ કુલ સંક્રમણ દર અને રોગથી બહાર આવવા માટે કુલ દરની વચ્ચે સંબંધના પરિણામ મેળવવા માટે પણ વિશ્લેષણ કરવામાં આવ્યું. દસ્તાવેજ મુજબ ભારતમાં વાસ્તવિક રૂપથી મહામારી ૨ માર્ચથી શરૂ થઈ હતી અને ત્યારથી કોવિડ-૧૯ના પોઝિટિવ કેસ વધતા ગયા છે.

વિશ્લેષણ માટે વિશેષજ્ઞોએ ભારતમાં કોવિડ-૧૯ માટે આંકડા વર્લ્ડમીટર ડાટ ઇન્ફોથી ૧ માર્ચથી ૧૯ માર્ચ સુધી નોંધાયેલા કેસ, સંક્રમણ મુક્ત થઈ ચૂકેલા કેસ અને મોત સાથે જોડાયેલા આંકડા લીધા. અધ્યયન દસ્તાવેજ મુજબ બેલીજ રિલેટિવ રિમૂવલ રેટ , કોવિડ-૧૯ના આંકડાકીય વિશ્લેષણ (લિનિયર), ના ભારતમાં આંકડાકીય વિશ્લેષણના પ્રદર્શિત થાય છે કે મધ્ય સપ્ટેમ્બર સુધી ‘લીનિયર લાઇન’ ૧૦૦ પર પહોંચી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.