Western Times News

Gujarati News

કોઈ પણ પક્ષે એવું કોઈ કામ ન કરવું જોઈએ જેથી કરીને તણાવ વધે: ચીન

નવીદિલ્હી: લેહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અચાનક આગમનથી દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે. ચીનને પણ આ પ્રવાસનો જોરદાર મેસેજ મળ્યો છે અને આ દરમિયાન હવે ચીનના વિદેશ મંત્રાલયે આ પ્રવાસ અંગે નિવેદન આપ્યું છે. ચીનનું કહેવું છે કે બંને પક્ષે એવું કંઇ પણ ન કરવું જોઈએ નહીં જેથી વાતાવરણ બગાડે.દૈનિક બ્રીફિંગમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું કે સરહદ પર ચાલી રહેલા તણાવને ઘટાડવા ભારત અને ચીન સતત લશ્કરી અને રાજદ્વારી વાતચીત કરી રહ્યા છે.

આવી સ્થિતિમાં કોઈ પણ પક્ષે એવું કંઈ ન કરવું જોઈએ જે સરહદ પર તણાવ પેદા કરે. ચીનનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે પૂર્વ લદ્દાખમાં ચીન સાથેની સરહદ પર ચાલી રહેલી તણાવ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે લેહ-લદાખની મુલાકાતે ગયા હતા અને વધુ સ્થળોની સલામતીની સમીક્ષા કરી હતી.

વડા પ્રધાન મોદીએ હિંસક સંઘર્ષના માંડ ૧૮ દિવસ બાદ આ પ્રવાસ કર્યો છે. પીએમ મોદી આજે સવારે લદ્દાખ પહોંચ્યા. નીમુમાં સમુદ્ર સપાટીથી ૧૧ હજાર ફૂટની ઉંચાઇ પર સ્થિત એક દુર્ગમ વિસ્તારમાં તેમણે આર્મી, એરફોર્સ અને ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ દ્વારા આ બાબતે બધી માહિતી આપવામાં આવી હતી. આ વિસ્તાર સિંધુના કાંઠે ઝાંસ્કર રેન્જથી ઘેરાયેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.