Western Times News

Gujarati News

કુમકુમ મંદિર દ્વારા અષાઢ વદ એટલે કે કામિકા એકાદશી ની ઉજવણી કરવામાં આવશે

કુમકુમ મંદિર ખાતે ઓનલાઇન બુધવારે મહિમાગાન કરવામાં આવશે : આ એકાદશી કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે

– સાધુ પ્રેમવત્સલ દાસજી

તારીખ 16 જુલાઈ ને ગુરુવારે કામિકા એકાદશી હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં નાદરી ખાતે તેની ઉજવણી કરવામાં આવશે સંતો ભક્તો દ્વારા નકોરડો ઉપવાસ કરવામાં આવશે દિવસ દરમિયાન મહંત શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી વચનામૃત અને બાપાશ્રીની વાતોનું પઠન કરશે બુધવારે રાત્રે 9 વાગે ઓનલાઈન સત્સંગ સભા યોજાશે જેમાં કામિકા એકાદશી નું મહત્વ વર્ણન કરવામાં આવશે અને દેશ-વિદેશના ભકતોને એકાદશીના દિવસે ઉપવાસ કરવો જોઈએ તે માટે અપીલ કરવામાં આવશે.

આ કામિકા એકાદશી અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલ દાસજી જણાવ્યું હતું કે આ એકાદશી કરવાથી ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ થાય છે એકાદશી કરવાથી અને ભવના બંધન માં થી મુક્તિ થાય છે પરમ પદની પ્રાપ્તિ થાય છે આ એકાદશી કરવાથી સર્વ પિતૃ કર્મ અનુસારનું ગમે તે દશા ને પામ્યા હોય તેનો પણ મોક્ષ થાય છે અને ભગવત ધામને પામે છે આ એકાદશી કરનારને વાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃત ગ્રંથમાં અને શિક્ષાપત્રી ગ્રંથમાં આજ્ઞા કરી છે કે જ્યારે એકાદશી હોય ત્યારે સૌ કોઈએ એકાદશીના દિવસે ઉપવાસ કરવો.

સાધુ પ્રેમવત્સલ દાસજી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.