Western Times News

Gujarati News

કેશલેસ કોવિડ -19 ટ્રીટમેન્ટનો ઇનકાર કરતી હોસ્પિટલો સામે કાર્યવાહી કરો: IRDAI

ચેન્નાઈ, વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) એ વીમા કંપનીઓને કોવિડ -19 માટેની કેશલેસ સારવાર સુવિધાને પોલિસીધારકોને નકારતી  હોસ્પિટલો સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. વીમા કંપનીઓ અને દાવાની પ્રોસેસિંગ એજન્સીઓ સાથેના કરાર હોવા છતાં આવી હોસ્પિટલો સામે ઇનકારની ફરિયાદ ટાંકીને, ઈરડાએ વીમા કંપનીઓને જુદા જુદા રાજ્યોમાં યોગ્ય સરકારી એજન્સીઓને ફરિયાદ કરવા જણાવ્યું છે.

ઈરડાએ વીમા કંપનીઓને પણ હોસ્પિટલો સામેની ફરિયાદો અંગે લેવામાં આવેલી કાર્યવાહીને તેમની વેબસાઇટ પર પ્રકાશિત કરવા જણાવ્યું છે. વીમા નિયમનકારે વીમા કંપનીઓને નેટવર્ક પ્રદાતા તરીકે દાખલ કરાયેલી આવી હોસ્પિટલો સામે કેવિડ -19 અને કેશલેસ સારવાર અંગેની એક વિશેષ ફરિયાદ નિવારણ પદ્ધતિ હોવાનું પણ જણાવ્યું છે.

જનરલ ઇન્સ્યુરન્સ કાઉન્સિલ તાજેતરમાં હોસ્પિટલો માટે કોવિડ -19 સારવાર માટે ચાર્જ કરવા માટે પ્રમાણિત દર લઇને બહાર આવી હતી. અધિકારીઓએ  જણાવ્યું હતું કે મોટી કોર્પોરેટ ચેઇન હોસ્પિટલો દરો માટે સંમત નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.