Western Times News

Gujarati News

કોરોના સંદર્ભે ખાનપુર તાલુકાના બાકોર ગામની નવીન કોવિડ કેર સેન્ટસરની જરૂરિયાત સંદર્ભે મુલાકાત લેતા જિલ્લા કલેકટર આર.બી. બારડ

લુણાવાડા: કોરોના વાયરસની સામે સમગ્ર વિશ્વ સાથે ભારત દેશ ઝઝૂમી રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે સરકાર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે મહિસાગર જિલ્લા વહીવટીતંત્ર કોરોના સામેની લડત માટે સુસજ્જ અને સતર્ક છે. મહીસાગર જિલ્લા માં કોરોના વાયરસના સંક્રમણના કારણે સામે આવી રહેલા પોઝીટીવ કેસોને ધ્યાાને લઇ વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર તેનો મુકાબલો કરવા તનતોડ પ્રયાસો કરી રહ્યું છે. કોરોનાને મહાત આપવા અગમચેતીના ભાગરૂપે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે.

જેના ભાગરૂપે જિલ્લાગ કલેકટર શ્રી આર. બી. બારડ ખાનપુર તાલુકાના બાકોર ગામે પહોંચી ગયા હતા. જયાં તેમને મોડલ સ્કૂાલ, કસ્તૂીરબા ગાંધી બાલિકા છાત્રાલયની આરોગ્યકના અધિકારીઓ સાથે અને સંચાલકો સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન કલેકટર શ્રી બારડે જિલ્લાીમાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યા ને લઇ જો જરૂર પડે તો તાત્કા લિક નવીન કોવિડ કેર સેન્ટાર શરૂ કરી શકાય તેમ છે કે કેમ તેની જાત માહિતી મેળવી હતી અને આ માટે સંપૂર્ણ તૈયારીઓ રાખવા સંબંધિતોને સૂચન કર્યું હતું.

શ્રી બારડે તેમની આ મુલાકાત દરમિયાન કોરાના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટેના જરૂરી પગલાં ભરવા અંગે પણ સંબંધિતોને જરૂરી માર્ગદર્શન આપવાની સાથે નાગરિકો કામ સિવાય બહાર ન નીકળે અને જો બહાર નીકળે તો અવશ્યૂ માસ્ક પહેરીને જ બહાર નીકળે તેમજ વારંવાર હાથ સાબુથી ધોવા અથવા સેનેટાઇઝરનો ઉપયોગ કરવા અને બે ગજની દૂરીનું પાલન કરે તે માટે જાગૃત કરવા સુચવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.