Western Times News

Gujarati News

ચીનની પ્રોડક્ટસના બહિષ્કારની ઝુંબેશથી ગભરાઈ ચાઈનીઝ મોબાઈલ કંપનીઓ

નવી દિલ્હી,  લદ્દાખ સીમા પર ચીને કરેલી દગાબાજી બાદ આખા દેશમાં ચીન સામે રોષ છે. દેશભરમાં ચાઈનીઝ પ્રોડક્ટસના બહિષ્કારની ચાલી રહેલી ઝૂંબેશથી સ્માર્ટ ફોન બનાવતી ચાઈનીઝ કંપનીઓ ફફડી ઉઠી છે. હવે આ કંપનીઓએ ભારતમાં પોતાની રણનીતિ બદલવાનુ નક્કી કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, સ્માર્ટ ફોન માર્કેટમાં ચીનની કંપનીઓનો ભારતમાં દબદબો છે.ચીનની અલગ અલગ કંપનીઓએ ભારતના સ્માર્ટફોનના 70 ટકા ઉપરાંત માર્કેટ પર કબ્જો જમાવ્યો છે પણ હવે આ કંપનીઓને ચીનની પ્રોડક્ટસના બહિષ્કારની બીક લાગી રહી છે.

એક અખબારના અહેવાલમાં એક મોટી કંપનીના અધિકારીએ નામ નહી આપવાની શરતે કહ્યુ હતુ કે, ભારતમાં અસ્તિત્વ ટકાવી રાખવુ હશે તો ચીની કંપનીઓ ભારતના ગુણગાન ગાવા પડશે.જેના ભાગરુપે હવે નવા ફોન લોન્ચ કરવાની સ્ટ્રેટેજી બદલવામાં આવશે.ખાસ કરીને કંપનીઓ પોતાની પ્રોડક્ટસના માર્કેટિંગમાં મેક ઈન ઈન્ડિયા પર ભાર મુકવા માટે વિચારણા કરી રહી છે.પ્રોડક્ટસના પેકેજિંગમાં પણ આ વાતને વધારે મહત્વ આપવામાં આવશે. તાજેતરમાં એક ચાઈનીઝ મોબાઈલ કંપનીએ તો પોતાના સ્ટોર પર લાગેલા હોર્ડિંગ પણ ઢાંકી દીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.