Western Times News

Gujarati News

શહેરીજનો નિયમોનું ઉલ્લંઘન કરતા જાેવા મળી રહ્યાં છે જે કોરોનાને આમંત્રણ સમાન

ફરી લોકડાઉન કરવું જાેઇએ તો કોરોના કેસમાં ઘટાડો થશે

અમદાવાદ, ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના વાઈરસના કેસોને લઇ અમદાવાદવાસીઓનો અભિપ્રાય છે કે, સરકારે ફરી એક વખત લોકડાઉન લાગુ કરવું જાેઈએ, તો જ કોરોના કેસમાં ઘટાડો થશે. જાે કે, બીજી તરફ લોકોનું માનવું છે કે, લોકડાઉન પરમેનેન્ટ સોલ્યુશન નથી. અમદાવાદીઓ સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરતા જાેવા મળી રહ્યાં છે. જેને લઈ સરકારે કડક નિયમો પણ બનાવ્યાં છે. સાબરમતી રીવરફ્રન્ટ પર પણ રવિવારના દિવસે લોકો ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. જેમાં લોકોએ માસ્ક પહેર્યુ ન હતું અને સોશિયલ ડિસ્ટન્સીંગ પણ જળવાતું નથી.

તેમ છતાં અમદાવાદીઓ બેદરકારી દાખવી રહ્યાં છે. જેના જ કારણે કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. નોંધનીય છે કે, કોરોના વાઈરસને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં માસ્ક નહીં પહેરનારને ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવાની જાેગવાઇ પણ મૂકવામાં આવી છે, તો બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જણાય તેવી જગ્યા પર પણ કડક કાર્યવાહી કરવાના આદેશો અપાયા છે. આ અંગે અમદાવાદીઓએ જણાવ્યું હતું કે, માસ્ક નહીં પહેરનાર સામાન્ય નાગરિકને ૨૦૦ રૂપિયા જેટલો જે દંડ લેવામાં આવતો હતો. તે યોગ્ય છે, જેથી સામાન્ય નાગરિક તેને એફોર્ડ પણ કરી શકતો હતો.

કાળાબજારી અંગે વાત કરતાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના કારણે જે ઇન્જેક્શન તૈયાર કરવામાં આવ્યાં છે. તેમાં જે રીતે કાળા બજારી થઈ રહી છે, તે પણ ન થવી જાેઈએ સરકારે આ બાબતે કોઈ ચોક્કસ પગલાં લેવા જાેઈએ સાથે જ કાળા બજારી કરનાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જાેઈએ. આ ઉપરાંત નગરજનોએ તંત્રને તમામ વર્ગના લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને ચોક્કસ નીતિઓનું ઘડતર કરવું અને શિક્ષણ અને રોજગાર અંગે ચોક્કસ બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવા અપીલ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.