Western Times News

Gujarati News

કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો – વલસાડ જિલ્લાના ગામડાઓ

-ખાસ લેખ-વૈશાલી જે. પરમાર
પ્રકૃતિ પ્રેમીઓ માટે આમ જોવા જઇએ તો દરેક મોસમ ફરવાની મોસમ હોય છે. પરંતુ વરસાદની ઋતુમાં દરેક વ્યકકિતને કુદરતનું સૌંદર્ય માણવાની ઇચ્છાા થાય છે. વલસાડ જિલ્લામાં એવા ઘણાં પર્યટન સ્થ ળો છે, જયાં કુદરતે પોતાનો જાદુ વિખેર્યો છે. એવા ગામો છે જયાં પ્રવાસીઓની ભીડ નથી, ફકત પ્રદુષણ મુકત કુદરતી વાતાવરણ અને શાંતિની અનુભુતિ છે.

ગુજરાત રાજયના છેવાડાનો જિલ્લો-વલસાડ, વલસાડ જિલ્લામાં વિલ્સકન હીલ, બરૂમાળ કે પારનેરા ડુંગર વગેરે વિશે તો વલસાડ ગુજરાતભરમાં પ્રખ્યાોત છે. પરંતુ સજનીબરડા, વાઘવળ કે કપરાડાના છેવાડાના અન્ય ગામોમાં નયનરમ્યુ કુદરતી દ્રશ્યોડ જોવા મળે છે. કુદરતી સાપસીડી સમાન ઘાટના વળાંકવાળા રસ્તાનઓ ચઢતાં પેટમાં ગુદગુદી ચોક્કસ થાય. પણ ડુંગર ઉપર પહોંચીને ત્યાંાનો અજારો જુઓ તો મન તરોતાજા થઇ જાય છે. ફેકટરીઓના ધુમાડાની જગ્યાુએ અવનવા આકાર લેતા સફેદ અને કાળા વાદળો જોવા મળે છે.

આ મોસમમાં ઇન્દ્ર ધનુષ્ય જોવા મળવું એક મુસાફરીની બોનસ સમાન છે. જેને જોતા શરીરની સાથે મનનો થાક પણ ઉતરી જાય. ડુંગરોથી ઘેરાયેલા નાના-નાના ગામો-ઘરો નદી-તળાવ, ઝરણા, ખેતરોને માણવાનો લાહ્વો કંઇક ઓર જ છે. આ ગામોમાં કોઇ ચોક્કસ સેલ્ફીય પોઇન્ટગસ નથી પરંતુ ચારે બાજુથી ફોટા લઇ શકાય તેવા મનોહર વ્યુે પોઇન્ટા જરૂર છે. સોનેરી કિરણ ધરાવતો ઉગતો સૂર્ય હોય કે પછી કેસરીયો સાંજનો સૂર્ય હોય બન્ને દ્રશ્યોા મનમોહક છે, જે ગામ અને ગામના લોકોમાં રહેલી શાંતી તથા જીવનની સ્થિતરતાથી આપણો પરિચય કરાવે છે. ગામના લોકો સરળ, મિલનસાર અને સ્વનભાવે ખૂબ જ માયાળુ છે.

શહેરના ઘોંઘાટ અને પ્રદુષણથી તદ્દન વિપરીત અહ્‌લાદક તાજગી ભર્યું વાતાવરણ આ ગામોમાં જોવા મળે છે. બંધ પાણીની બોટલોની જગ્યારએ કોઇના ઘરનું માટલાનું પાણી પીવામાં સંતુષ્ટાતા છે. ગામડાનું જમણ એટલે સ્વાાદિષ્ટગ જમણ. શહેરના લોકો એ કદી જોઇ કે ચાખી પણ ન હોય તેવી કુદરતી વનસ્પનતિઓ, ભાજી-પાલો, ફળ-ફુલ ઉગી નિકળે છે. જેનું આરોગ્યણવર્ધક ભોજન બનાવી ગામના લોકો સ્વાનદના ચટકારા લેતા હોય છે. આવા ભોજન તમારે માણવા હોય તો કોઇ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનની સખી મંડળની બહેનો દ્વારા ચાલતી કેન્ટીપનમાં પહોંચી જાઓ. અને ભોજનનો આનંદ માણો! નાસ્તાેની ઇચ્છાઆ થાય તો આવા મોસમમાં ગામની નાની-મોટી લારીઓ ઉપર સરસ મજાની આદુ-ફુદીનાની ચ્હાે અને ગરમા ગરમ ભજીયા મળી જાય એટલે ભયો-ભયો!

આસપાસના જંગલોમાં ભ્રમણ કરતા તાજગી ભર્યા વાતાવરણમાં શરીરની પાંચેય ઇન્દ્રિ યો જાગૃત થઇ જાય છે. જેના થકી કયારેય ધ્યાંન ન આપ્યું હોય તેવી બાબતો જેમ કે, જંગલના નાના-મોટા જીવ જંતુઓ, અવનવા રંગબેરંગી પુષ્પો , પક્ષીઓનો કિલકિલાટ પર તમારૂં ધ્યા‍ન જાય છે. જંગલની અસીમ શાંતિમાં પક્ષીઓનો મધુર કલરવ આત્મા ને પ્રસન્નતા અર્પણ કરે છે. ધ્યારનથી નજર દોડાવશો તો પક્ષીઓ પોતાની અદભુત દિનચર્યામાં પરોવાયેલા જોવા મળશે. પક્ષીઓને પોતાના પર્યાવરણમાં અવનવી ક્રિયાઓ કરતા જોવાં એ દુર્લભ અવસર છે.

વલસાડથી ધરમપુર ૩૦ કિમી થાય છે. ધરમપુરમાં આવેલુ વિજ્ઞાન કેન્દ્રં ગુજરાતમાં સૌથી જુનું અને જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર તરીકેનું સૌ પ્રથમ કેન્દ્રર છે. તેની જ બાજુમાં લેડી વિલસન મ્યુમઝીયમ આવેલું છે. ધરમપુરથી ૭ કિ.મી દુર બરૂમાળ ભાવભાવેશ્વર મહાદેવના મંદીર છે. ત્યાં થી આગળ જતા ઘાટવાળા રસ્તામઓ આવે છે. ઘાટ પુર થતા પીપરોણી ગામે વાઘવળ રસ્તેવ જાઓ તો વરૂણ દેવ મંદીરના દર્શન કરવાનું ના ભુલાય. આ મંદિર કોઇ ભવ્યય ઇમારતો દ્વારા બનાવવામાં નથી આવ્યું . પરંતુ શાંત વાતાવરણમાં જેમ સમાધી લગાવીને ઋષિઓ ધ્યા ન મુદ્રામાં બેઠા હોય તેમ એક ઝુંપડી નીચે વરસાદના દેવ બીરજમાન છે. અહીંથી સનસેટ પણ ખુબ જ આકર્ષક લાગે છે. જયાં સુધી નજર જાય ત્યાંચ સુધી ડુંગરોની હારમાળા દેખાય છે., અને આ હારમાળા સાથે વાત કરતા વાદળો, વાદળો સાથે ધીમે ધીમે વાતો પવન તનમનમાં અજબ સ્ફુંર્તી ભરી દે છે.

મંદિર અને તેના આસપાસનો વિસ્તાાર કરમદાના ઝાડથી ઘેરાયેલો છે. જો તાજા-મીઠા કરમદા ખાવાનો શોખ હોય તો ઉનાળની સીઝનમાં અહીંની મુલાકાત જરૂર લેવી જોઇએ. ખાતા-ખાતા થાકી જવાય એટલા કરમદા અહીં મળશે અને એ પણ તદ્દન મફત-મફત-મફત! પણ શરીરે કાંટો ન વાગે તેનું ચોક્કસ ધ્યાીન રાખવું.

ઉત્તરાખંડમાં ‘વેલી એફ ફલાવર્સ’ નામની જગ્યાક છે, જયાં શિયાળાની મોસમમાં આખે આખા પહાડો અને ત્યાંી જવાના રસ્તાાઓની આસપાસ લાખો ફુલો ઉગી નિકળે છે. આવો નજારો આપણા વલસાડમાં પણ થાય છે. પંગારબારી ગામે પહોંચશો તો ત્યાંા વિખ્યાલત વિલ્સલનહીલ કે શંકરધોધના રસ્તેન આવા નજારો જોઇ શકાય છે. હાલ ચોમાસામાં આ તમામ જગ્યાાના રસ્તાાઓની આજુબાજુ રાણી, લાલ, પીળા અને સફેદ કલરના જંગલી ફુલો જોતા ‘વેલી ઓફ ફલાવર’માં આવી ગયા હોય તેવો ભાસ થાય છે. આ નજારાથી મુસાફરીનો રસ્તોા માણવાની મઝા જ કંઇક ઓર થઇ જાય છે. વલસાડમાં દરેક ગામડાના રસ્તાખઓ કંઇક અલગ અનુભવ કરાવે છે.

ચારે બાજુ હરિયાળા ડુંગરોની વચ્ચેત આવેલી વનરાજી, તેની વચ્ચે આવેલો નયનરમ્યા ગ્રામ્યં વિસ્તા ર જોવા માટે ચોમાસાની સીઝનમાં જ નહીં પણ ચારેય મોસમમાં કયારે પણ પ્રવાસ કરી શકાય. દરેક મોસમમાં અહીં નીત નવીન દ્રશ્યોગ જોવા મળે છે. ગામડાના બાળકોને જુનવાણી રમતો રમતા જોઇ તમારા બાળકો મોબાઇલમાં ગેમ રમવાનું ભુલી જશે. તમારૂં પણ મન બાળક બનીને એકવાર ગીલ્લી ડંડા રમવાનું, નદી-ઝરણામાં ન્હાબવાનું, ગામડાની શેરીમાં સાયકલનું પૈડલ ફેરવવાનું, ભમરડાને હાથમાં લેવાનું મન ચોક્કસ થશે. માં પ્રકૃતિના ખોળે સાદું સરળ જીવન માણવાનો લ્હાંવો તો નસીબદારો જ માણી શકે. બાકી બીજા બધાએ તો શહેરોમાં પ્રદુષણ અને ટ્રાફિકના સથવારે જ જીવવું પડે છે!

વન અને સહ્યાદ્રિની ગિરિકંદરાઓની ગોદમાં વનોનું સૌદર્ય નિહાળવા, કુદરતના ખોળે ખીલેલી વનવાસી બાંધવોની આગવી સંસ્કૃધતિને જાણવા, વનશ્રીની વિહારભૂમિ સમી હરીયાળી અને રસાળ ધરતીના ખોળે બેસવાની મજા માણવા વલસાડ જિલ્લાના અંતિરયાળ વિસ્તાિરોની મુલાકાત લેવી પડે. હાલ કોરોના વાઇરસની મહામારીમાં ભીડભાડ વાળી જગ્યાાઓ ઉપર જવાનું ટાળવું જરૂરી છે, એટલે હાલ આ વિસ્તાવરોમાં પ્રવાસીઓ માટે પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યોભ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.