Western Times News

Gujarati News

યુસીબીમાં પાંચ વર્ષ દરમિયાન છેંતરપીડીના હજાર મામલા જાહેર

નવીદિલ્હી, શહેરી સહકારી બેંકો એટલે કે યુસીબીને છેલ્લા પાંચ વર્ષ નાણાંકીય વર્ષમાં છેંતરપીડીથી ૨૨૦ કરોડથી વધુનું નુકસાન થયું છે.આ દરમિયાન આ બેંકોમાં છેંતરપીડીના લગભગ ૧,૦૦૦ મામલા સામે આવ્યા છે.ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઇથી આ માહિતી મળી છે. માહિતીના અધિકાર હેઠળ માંગવામાં આવેલ માહિતીના જવાબમાં કેન્દ્રીય બેંકોએ કહ્યું છે કે ૨૦૧૮-૧૯ દરમિયાન ૧૨૭.૭ કરોડ રૂપિયાની છેંતરપીડીના કુલ ૧૮૧ મામલા સામે આવ્યા છે.

આ પ્રકારે બેંકોએ ૨૦૧૭-૧૮માં છેંતરપીડીના ૯૯ મામલા (૪૬.૯ કરોડ રૂપિયા) અને ૨૦૧૬-૧૭માં ૨૭ મામલા(૯.૩ કરોડ રૂપિયા)ની માહિતી આપી છે આરબીઆઇએ કહ્યું છે કે ૨૦૧૫-૧૬માં ૧૭.૩ કરોડ રૂપિયાની છેંતરપીડીના ૧૮૭ મામલા સામે આવ્યા છે જયારે ૨૦૧૪-૧૫ દરમિયાન ૧૯.૮ કરોડ રૂપિયાના આ રીતના ૪૭૮ મામલા સામે આવ્યા.

આરટીઆઇમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૧૪-૧૫ અને ૨૦૧૮-૧૯ દરમિયાન શહેરી સહકારી બેંકોમાં ૨૨૧ કરોડ રૂપિયાના કુલ ૯૭૨ છેંતરપીડીના મામલા દાખલ થયા છે આરબીઆઇએ કહ્યું કે બેંકોને આરબીઆઇને છેંતરપીડીના મામલાની બાબતમાં માહિતી આપવી જરૂરી હોય છે બેંક માટે જરૂરી છે કે તે કર્મચારીઓની જવાબદારી સાથે જાેડાયેલ પાસાઓ પર ધ્યાન આપે અને આંતરિક પ્રક્રિયા દ્વારા દોષીતોને દંડિત કરે

આરબીઆઇએ આ મામલા પર કાર્યવાહીનું વિવરણ આપવાનો ઇન્કાર કરતા કહ્યું કે આ આંકડા આસાનીથી ઉપલબ્ધ નથી તેમાં કહેવામાં આવ્યું છે કે દેશભરની કુલ ૧,૫૪૪ શહેરી સહકારી બેંકોમાં ૩૧ માર્ચ,૨૦૧૯ સુધી કુલ ૪.૮૪ લાખ કરોડ જમા હતાં તેમાં સૌથી વધુ ૩ લાખ કરોડ રૂપિયા મહારાષ્ટ્રની ૪૯૬ બેંકોમાં જમા હતાં આ રીતે ગુજરાતમાં ૫૫,૧૦૨ કરોડ રૂપિયા ૨૧૯ શહેરી સહકારી બેંકોમાં અને કર્ણાટકમાં ૨૬૩ બેંકોમાં ૪૧,૦૯૬ કરોડ રૂપિયા જમા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.