Western Times News

Gujarati News

જોધપુરમાં ૧૧ પાકિસ્તાની શરણાર્થીઓનાં મોત

જોધપુર, રાજસ્થાનના જોધપુરમાં ૧૧ પાકિસ્તાની શરણાર્થીઓના મોત નીપજ્યાં છે. હાલમાં મોતનું કારણ જાણી શકાયું નથી. ઝેરી ગેસના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દેચુ પોલીસ મથકના લોટા વિસ્તારની આ ઘટના છે. દેચુ પોલીસ મથકના અધિકારી હનુમાન રામ ઘટનાસ્થળે પહોંચી આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ તમામ મૃતકો પાકિસ્તાનથી વિસ્થાપિત થયા હોવાનું કહેવાય છે. આ બધા લોકો અચલાવતા ગામે ખેતીકામ કરતા હતા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. એક સાથે ૧૧ મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.