Western Times News

Gujarati News

જામનગર ધ્રોલ હાઇવે પર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત

જામનગર: કોરોના વાયરસના કારણે લોકડાઉન આપ્યા બાદ રાજય સહિત દેશભરમાં અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો જાેવા મળ્યો હતો પરંતુ લોકડાઉનમાં રાહત મળ્યા બાદ ફરી અકસ્માતની ઘટનાઓનો સીલસીલો ફરી શરૂ થઇ ગયો છે.વાહન ચાલકની નજીવી ભૂલ કમોતે મોતનું કારણ બની જાય છે આવી જ એક ધટના જામનગર રાજકોટ હાઇવે પર સર્જાઇ છે જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજયા છે. પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર જામનગર રાજકોટ રોડ પર ધ્રોલના જાયવા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના ધટના સ્થળે જ મોત નિપજયા હતાં જયારે અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. રાજકોટથી જામનગર તરફ આવેલા સોયલ તરફ આવી રહેલ પટેલ પરિવારના ત્રણ સભ્યોની કાર રસ્તા પર અચાનક કોઇ ઢોર આડે આવી જતાં ધ્રોલ પંથકના જાયવા ગામ નજીક પલ્ટી મારી ગઇ હતી

જેથી મૂળ ધોળાજીના હાલ રાજકોટ રહેતા પરિવારના પાંચ લોકો કારમાં સવાર હતાં જેમાંથી અકસ્માતમાં ઘટના સ્થળે જ એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુ નિપજયા હતાં આ અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસને આ ઘટના અંગે જાણકારી મળતા તે ઘટના સ્થળ પહોંચી ગઇ હતી અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને મૃતકોના શબનો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતાં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.