પ્રાંતિજ નાનીભાગોળ મોટા ઠાકોર વાસમાં વિજ કરંટ લાગતા ૧૯ વર્ષના યુવકનું મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/09/13-2-scaled.jpeg)
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાનીભાગોળ મોટા ઠાકોર વાસ માં વિજ કરંટ લાગતા ૧૯ વર્ષ ના યુવક નું મોત નિપજ્યું હતું તો યુવક ના મોત ને લઈને આ વિસ્તાર માં શોક નું મોજુ ફરી વળ્યું હતું .
પ્રાંતિજ નાનીભાગોળ મોટા ઠાકોર વાસમા મા બાપ પરિવાર વિના ના બે ભાઇઓ માંથી મકવાણા વિષ્ણુજી સુરસનજી ઉ.વર્ષ-૧૯ કે જે પોતાના ધર આગળ ઓસળીમા તાર ઉપર સુચવેલા કપડાં લેવા જતા વિજકરટ લાગતા બુમાબુમ મચી જવા પામી હતી અને બુમાબુમ થતા આજુબામાથી દોડી આવેલ બે જણાએ બચાવવા નો પ્રયત્ન કર્યો હતો પણ તેવો ને પણ વિજકંરટ લાગ્યો હતો તો દોડી આવેલ લોકો દ્વારા મકવાણા વિષ્ણુજી ને તાત્કાલિક એકટીવ ઉપર પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો
પણ સિવિલ માં હાજર તબીબી દ્વારા તેને મૃત જાહેર કર્યો હતો તો વિજકપની માં પણ જાણ કરતા વિજ કંપની ના એન્જીનીયર શૈલેષભાઈ યાદવ પણ તેમની ટીમ સાથે ધટના સ્થળે દોડી આવ્યા હતાં તો મૃતક યુવક છુટક મજુરી કરતો હતો તો પરીવાર માં માત્ર બે ભાઇઓ જ હતા જેમાં મોટા ભાઇનું વિજકંરટ થી મોત નિપજતા હાલ ૧૫ વર્ષ નો ભાઇ એકલો પડી ગયો છે તો યુવક ના અચાનક મોત ને લઈને મોટા ઠાકોર વાસ સહિત વિસ્તાર માં શોક નું મોજુ ફરીવળ્યુ છે .