Western Times News

Gujarati News

લોન મારેટોરિયમ ૨૮ સપ્ટેમ્બર સુધી વધ્યું

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટમાં ભારતીય રિઝર્વ બેંક(આરબીઆઇ) તરફથી આપવામાં આવેલ લોન મોરેટોરિયમ મામલાને લઇ કેન્દ્ર સરકારને યોગ્ય નિર્ણય લેવા માટે બે અઠવાડીયાનો સમય આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટમાં લોન મોરેટોરિયમને આગળ વધારવા અને વ્યાજમાં છુટ આપવાની અરજીઓ પર સુનાવણી થઇ. ન્યાયમૂર્તિ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ત્રણ બેંચોની બેંચે કહ્યું કે મોરેટોરિયમ પર નિર્ણય લેવા માટે કેન્દ્ર સરકાર અને આરબીઆઇને આ અંતિમ તક આપવામાં આવી રહી છે આ સાથે જ કોર્ટે લોન મોરેટોરિયમને ૨૮ સપ્ટેમ્બર સુધી વધારી દીધુ છે.

બેંચે કહ્યું કે આ મુદ્‌ત સુધી બેંક કોઇ પણ લોનનો હપ્તો ન ચુકવવા પર નોન પરફોર્મિગ અસેટ (એનપીએ) જાહેર ન કરં આ મામલા પર આગામી સુનાવણી ૨૮ સપ્ટેમ્બરે કરવામાં આવશે. કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે આ મામલાને લઇ બેંકો અને અન્ય હિતધારકોથી વાતચીત જારી છે આ સંબંધમાં બેથી ત્રણ રાઉન્ડ ની બેઠક કરવામાં આવી છે હાલ મામલાની તપાસ કરવામાં આવી રહી છે કોર્ટે કેન્દ્રને વ્યાજ પર વ્યાજ નહીં વસુલવાની અરજીને લઇને પણ વિચાર કરવા માટે કહ્યું છે આ સાથે જ દેવાદારોની ક્રેડિટ રેટિંગને ડાઉનગ્રેડ નહીં કરવા માટે કહ્યું છે. હકીકતમાં લોન મોરેટોરિયમ એક એવી સુવિધા છે જે હેઠળ કોરોના પ્રભાવિત ગ્રાહકો અથવા કંપનીઓને છુટ આપવામાં આવી છે આ હેઠળ ગ્રાહકો અને કંપનીઓની પાસે આ સુવિધા હતી કે તે પોતાની માસિક હપ્તાને ટાળી દે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.