Western Times News

Gujarati News

ભારત ચીન સીમાની પાસે ગામ ખાલી થવા લાગ્યા

પિથૌરાગઢ, ભારત ચીન સીમાથી જોડાયેલ ગામ ખાલી થવા લાગ્યા છે શિયાળાના પ્રવાસ પર ઉચ્ચ હિમાલયી વિસ્તારમાં આવનારા ગ્રામીણોની વાપસીનો સિલસિલો ચાલુ થઇ ગયો છે.૧૫ ઓકટોબર સુધી સીમાથી લાગેલ ગામ પુરી રીતે ખાલી થઇ જશે સીમાના આ પ્રહરી હવે આગામી છ મહીના સુધી ઘાટીના વિસ્તારમાં બનેલ સ્થાયી ઘરોમાં રહેશે. પિથૌરાગઢમાં મુનસ્યારી અને ધારચુલાના ઘાટી વાળા વિસ્તારોથી દર વર્ષ લગભગ ૩૦ ગામોના છ હજારથી વધુ લોકો ઉચ્ચ હિમાલયી વિસ્તારમાં ખેતી કરવા માટે જાય છે આ ખેતીથી મોટાભાગના ગ્રામીણોની આજીવિકા ચાલી જાય છે.પ્રવાસ દરમિયાન ગ્રામીણ જમ્બુ ગંદરાયણી છિપી કુટ કાલા જેવી મોટી બુટિયોનું ઉત્પાદન કરે છે બટાટા પણ અહીં મોટી માત્રામાં ઉગાડવામાં આવે છે. નીચલા વિસ્તારમાં તેની ખુબ સારી કિંમત મળે છે અને તેેને કારણે તેમની આજીવિકા ચાલે છે.

પ્રવાસ પર જાણે ગ્રામીણ સેનાના સાચા સાથી પણ છે તેમની હાજરીથી સેનાને મોટી મદદ મળે છે વર્ષ ૧૯૬૨માં ભારતક ચીન વિવાદમાં પણ ગ્રામીણોએ સેનાને મોટો સહોયગ આપ્યો હતો આજે પણ સેનાની સામાન્ય ધોવાથી લઇને એક પ્રકારની મદદ ગ્રામીણો કરી રહ્યાં છે. ૧૫ માર્ચ બાદ શિયાળુ પ્રવાસ શરૂ થાય છે અને ૧ ઓકટોબર સુધી લોકો પાછા ફરે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.