Western Times News

Gujarati News

નર્મદા નદીમાંથી સાણંદના યુવાનનો મૃતદેહ મળી આવ્યો : સ્યુસાઈટ નોટ મળી

સ્યુસાઈટ નોટ માં કરાયેલ ઉલ્લેખ : મારો મૃતદેહ મળે તો અંતિમ સંસ્કાર કરી દેવા પરિવારની માંફી માંગી,શોક વ્યક્ત કરવો નહિ.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લા ની ભાગોળ માંથી વહેતી નર્મદા નદી ના વહેણ માંથી એક અજાણ્યા પુરુષ નો મૃતદેહ મળી આવતા તેના ખિસ્સા માંથી સ્યુસાઈડ નોટ મળી આવતા મરનારે સ્યુસાઈટ નોટ માં પરિવાર ની માંફી માંગી રાજીખુશી થી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરવા સાથે હું જીંદગી થી કંટાળી આપઘાત નો માર્ગ અપનાવ્યો હોવાનું જણાવી મોત ને વ્હાલું કર્યું હોવાનું સ્યુસાઈટ નોટ માં ઘટસ્ફોટ થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

બનાવની મળતી માહિતી અનુસાર નર્મદા નદી ના અંકલેશ્વર તરફ રેલવે ના સિલ્વર બ્રિજ નજીક એક અજાણ્યા પુરુષ નો મૃતદેહ પાણી માં તરતો હોવાની જાણ માછીમારોએ ધર્મેશ સોલંકી ને કરતા તેઓ ટિમ સાથે ઘટના સ્થળે દોડી આવી પોલીસ ને જાણ કરતા અંકલેશ્વર સીટી પોલીસે સ્થળ ઉપર દોડી આવી મૃતદેહ ને બહાર કઢાવી મૃતદેહ ના ખિસ્સા માં તપાસ કરતા તેમાંથી એક સ્યુસાઈટ નોટ મળી આવી હતી.

જેમાં મરનાર નું નામ નરેશભાઈ રમણભાઈ પરમાર રહેવાસી,૨૩ ભગવતી સોસાયટી,નર સરોવર રોડ,સાણંદ નો ઉલ્લેખ કરવા સાથે સ્યુસાઈટ નોટ માં પોતાના પિતાનો મોબાઈલ નંબર નો ઉલ્લેખ કરવા સાથે સમગ્ર પરિવાર ની માફી માંગી પોતે જીવન થી કંટાળી ગયા હોવાના કારણે રાજીખુશી થી આપઘાત કરું છું

તેમ ઉલ્લેખ કરવા સાથે મારો મૃતદેહ મળે તો તેના અંતિમ સંસ્કાર કરી દેવા અને કોઈપણ જાત નો શોક વ્યકત કરવો નહિ અને હું સમગ્ર પરિવાર ની ફરી એકવાર માફી માંગુ છું તેવું સ્યુસાઈટ નોટ માં ઉલ્લેખ કરાયો હોવાના કારણે પોલસીએ સ્યુસાઈટ નોટ અને મૃતદેહ નો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી મૃતદેહ તેઓના વાલી વારસો ને સોંપવાની કામગીરી અંકલેશ્વર સીટી પોલીસે કરી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.