Western Times News

Gujarati News

અમેરિકામાં બિરલા પરિવાર સાથે રંગભેદ થયાનો આક્ષેપ

નવી દિલ્હી/વૉશિંગ્ટન, દેશના ટોચના ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાના પરિવારને અમેરિકામાં રંગભેદનો ભોગ બનવાની ફરજ પડી હોવાના અહેવાલ વહેતા થયા હતા.

કુમારમંગલમની પુત્રી અનન્યાએ સોશ્યલ મિડિયા પર મૂકેલા સંદેશા મુજબ ‘ ‘સ્કોપા ઇટાલિયન રૂટ્સ’ રેસ્ટોરાંએ મારા પરિવારને બહાર હાંકી કાઢ્યો હતો. અમારી સાથે રંગભેદનો બનાવ બન્યો હતો. કોઇ પણ રેસ્ટોરાંએ પોતાના ગ્રાહકો સાથે અનુચિત વ્યવહાર ન કરવો જોઇએ.’

અનન્યાએ વધુમાં લખ્યું હતું કે અમે ભોજન માટે ત્રણ કલાક વાટ જોઇ હતી. શેફ એન્ટોનિયો, આપના વેઇટર જોશુઆ સિલ્વરમેને મારી માતા સાથે અત્યંત કઢોર વર્તન કર્યું હતું. આ વર્તનને રંગભેદ કહેવું પડશે. આ યોગ્ય ન થયું..’

કુમારમંગલમની પત્ની અને અનન્યાની માતા નીરજા બિરલાએ પણ આ ઘટનાને અયોગ્ય ગણાવી હતી. નીરજાએ પણ સોશ્યલ મિડિયા પર લખ્યું હતું કે કોઇ પણ રેસ્ટોરાં પોતાના ગ્રાહક સાથે આ પ્રકારનું કઠોર વર્તન કરી શકે નહીં.  રેસ્ટોરાં તરફથી કોઇ પ્રતિભાવ આવ્યા નહોતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.