Western Times News

Gujarati News

હરિયાણાના કરનાલમાં જમીન વિવાદને લઇ ગોળીબાર ત્રણના મોત

કરનાલ, હરિયાણાના કરનાલમાં આજે સવારે જમીન વિવાદને લઇ ગોળીબાર થયા હતાં આ ધટનામાં ત્રણ લોકોના મોત નિપજયા છે જયારે ૧૨ લોકોને ગંભીર ઇજા થઇ છે.તમામ ઇજા પામેલઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર ગગસીના ગામમાં બે પક્ષો વચ્ચે અનેક વર્ષથી જમીન વિવાદ ચાલી રહ્યો હતો મામલો કોર્ટમાં વિચારાધીન હતો આ મુદ્દા પર અનેક દિવસોથી બંન્ને પક્ષો વચ્ચે તનાતની ચાલી રહી હતી અને આજે સવારે મામલો ઉગ્ર બની ગયો હતો અને એક પક્ષ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો જેથી ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજયા હતાં જયારે ૧૨ લોકોને ઇજા થઇ છે જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ ગામમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી. એફએસએલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પુરાવા એકત્રિત કર્યા હતાં પીડિત પક્ષ આરોપીઓની ધરપકડની માંગ કરી રહ્યાં છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.