Western Times News

Gujarati News

હું લોકો માટે જીવી છું અને તેમના માટે જ મરીશ: મમતા

કોલકતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોઇનું નામ લીધા વિના કહ્યું કે તે દેશને વિભાજીત કરવાની મંજુરી આપશે નહીં અને તે લોકો માટે કામ કરતી રહેશે અને તેમના માટે જ જીવશે અને મરશે.

અહીંના બાબુઘાટ વિસ્તારમાં ગંગાસાગર તીર્થયાત્રીઓ માટે વિશ્રામ શિબિરનું ઉદ્‌ધાટન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે મહાન નેતા તમામ લોકોની સાથે એક જેવો વ્યવહાર કરે છે તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આઝાદી બાદથી જ દેશને અનેક સમસ્યઓનો સામનો કર્યો પરંતુ દેશનું વિભાજન થયુ નહીં.

તેમણે કહ્યું કે હું દેશને તોડવા અને વિભાજીત કરવાની મંજુરી આપીશ નહં હું લોકો માટે જીવીશ અને તેમના માટે કામ કરીશ અને ત્યાં સુધી કે સામાન્ય લોકો માટે જ મરીશ સ્વામી વિવેકાનંદની જયંતી પ્રસંગે મમતા બેનર્જીએ કહ્યું કે સ્વામીજીએ કહ્યું હતું કે ભારતમાં કિસાન મોચી અને દલિત સહિત તમામ વર્ગના નેતા હશે.

પશ્ચિમ બંગાળમાં આગામી કેટલાક મહિનાઓમાં વિધાનસભાની ચુંટણીઓ યોજાનાર છે ભાજપ પશ્ચિમ બંગાળમાં ટીએમસનું શાસન તોડી પડાવા માટે અત્યારથી જ મહનત કરી રહ્યું છે. ભાજપના કેન્દ્રીય નેતાઓ અત્યારથી જ રાજયનો પ્રવાસ કરી રહ્યાં છે અને પાર્ટીનો પ્રચાર કરી રહ્યાં છે. ભાજપ અને ટીએમસી વચ્ચે વિધાનસભાની ચુંટણી જંગ જમાશે.ટીએમસી પોતાનું શાસન બચાવવા માટે કામે લાગી ગઇ છે જયારે ભાજપ ૨૦૦ ઉપરાંત વિધાનસભા બેઠકો જીતવાના લક્ષ્ય સાથે તૈયારીઓમાં લાગી ગઇ છે. ભાજપ પ્રમુખ જે પી નડ્ડા રાજયનો પ્રવાસ બે વાર કરી ચુકયા છે.અમિત શાહ પણ પ્રચાર કરે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.