આંદોલન ખતમ થઈ ગયું હોત, ખેડૂત નેતાના રડવાથી માહોલ બદલાયો

નવી દિલ્હી: ટ્રેક્ટર પરેડ દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસા બાદ ખેડૂતોનું આંદોલન નબળું પડ્યું છે. આંદોલન કરી રહેલા ખેડૂતો પાછળ હટી રહ્યા છે. જાેકે, ગાઝીપુર બોર્ડર પર સ્થિતિ તેનાથી અલગ છે. ગાઝિપુરમાં ખેડૂતોને અડધી રાત સુધીમાં ખેડૂતોને આંદોલન સ્થળ ખાલી કરવા માટેનું અલ્ટીમેટમ આપ્યું હતું.
તમામ ખેડૂતો પોતાનો સામન બાંધીને રવાના થવાની તૈયારીમાં હતા અને ખેડૂત નેતા રાકેશ ટિકેતના આંસુઓએ માહોલ એકદમ બદલી નાખ્યો. મોડી રાત્રે પોલસી અને ફોર્સે ખાલી હાથ પરત ફરવું પડ્યું. ગાઝીપુર બોર્ડરને ગુરુવારે એક તરફથી છાવણીમાં બદલવામાં આવી હતી.
મોટી સંખ્યામાં પોલીસ બળ અને રેપિડ એક્શન ફોર્સના જવાનો તૈનાત હતા. કલમ ૧૪૪ લગાવી દેવામાં આવી હતી. અટકળો લગાવવામાં આવી રહી હતી કે ટિકેત સરેન્ડર કરશે અથવા તેમની ધરપકડ થશે. તેમના ભાઈ નરેશ ટિકેત એવી જાહેરાત કરી ચૂક્યા હતા કે હવે વધારે નહીં, ધરણાનો અંત લાવવામાં આવશે. પણ રાકેશ ટિકતે પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમના આંસુ છલકાયા બાદ માહોલ એકદમ બદલાઈ ગયો.
રાકેશ ટિકેત આંદોલન પૂર્ણ કરવા પર અડેલા હતા. કહ્યું કે અહીં જ આત્મહત્યા કરી લઈશ. તેમણે ખેડૂતોને ગાઝીપુર બોર્ડર પહોંચવાની ભાવુક અપીલ કરી. પછી ખેડૂતો ગાઝીપુર બોર્ડર પર એકઠા થવા લાગ્યા. આંદોલન ખતમ થવાની ચર્ચા વચ્ચે ફરી ખેડૂતોની ભીડ ઉમટી પડી.
ગાઝીપુર બોર્ડર સંપૂર્ણ રીતે છાવણીમાં બદલાઈ ગયું હતું. મોટી સંખ્યામાં પોલીસ, પીએસી અને રેપિડ એક્શન ફોર્સના જવાનો તૈનાત થઈ ગયા હતા. માહોલ અશાંત હશો, ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થઈ શકે તેમ હતું. ખેડૂતોને આંદોલન સમાપ્ત કરવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ રાત આગળ વધતા ખેડૂતો આંદોલનના સ્થળ પર પહોંચવા લાગ્યા. અંતમાં પોલીસે પાછળ હટવું પડ્યું. ફોર્સની જે ગાડીઓ પહોંચી હતી તેમણે પરત ફરવું પડ્યું. વાત જાણે એમ છે કે ખેડૂત નેતા રાકેશ ટિકેતે કહ્યું હતું કે મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે, અમે આંદોલનનું સ્થળ ખાલી કરીશું નહીં,
આ બીજેપીનું ષડયંત્ર હતું. જ્યારે પોલીસકર્મીઓએ રસ્તો ખાલી કરવાનું કહ્યું ત્યારે ટિકેતે પોલીસકર્મીઓ પર ગુંડાગીરીનો આરોપ લગાવ્યો. આ સમગ્ર ઘટનાને લઈને સૂચના સલાહકાર અને બીજેપી પ્રવક્તા શલભ મણિ ત્રિપાઠીએ રાકેશ ટિકેત રડતા હોય તેવો વિડીયો ટિ્વટ કરતા લખ્યું કે એક ધર્મયુદ્ધનો સુખાંત આ રીતે થાય છે, મહાનાયક સહજ શાંત રહે છે, અધર્મી ખલનાયક રડે છે.