ગુજરાતમાં ઑક્સિજનની અછતથી એક મોત થયું નથી : મુખ્યમંત્રી રૂપાણી

ગાંધીનગર: સંસદના રાજ્યસભા ગૃહમાં કેન્દ્ર સરકારે ઓક્સિજનની અછતથી દેશમાં એકપણ મોત નથી થયાંના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે અને વિપક્ષે સરકાર પર શાબ્દિક પ્રહાર શરૂ કર્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના આક્ષેપને વખોડતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસને જ આડેહાથ લીધી હતી.
રાજ્યમાં ઓક્સિજનથી અછતથી થયેલા મૃત્યુના આક્ષેપને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી માટે ખોટા પ્રહાર કરે છે. આ સાથે જ એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઓક્જિનની અછતથી કોઇ મૃત્યુ થયાં નથી.
બીજી તરફ રાજ્યમાં કોરોનાને કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયુ નથી જેને લઈ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે આ તરફ એક જ દિવસમાં ૬૧ દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૧૦ હજાર ૭૬ લોકોને કોરોના ભરખી ગયો છે.
જાે વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ ૪૧૧ દર્દી સારવાર હેઠળ છે. જાે કે નાજુક સ્થિતિના કારણે ૫ દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે જ્યારે ૪૦૬ દર્દીની હાલત સ્થિર જણાઈ રહી છેરાજ્યના મોટા શહેરમાં કોરોના હવે કાબૂમાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે પરતું હજુ પણ સંભવિત ત્રીજી લહેરનો ખતરો જાેવાઈ રહ્યો છે. હાલ મહાનગરોમાં પણ કોરોનાની રફતાર ધીમી પડી છે. અમદાવાદમાં ૬, સુરતમાં ૪ અને વડોદરામાં ૭ કેસ નવા કેસ નોંધાયા છે…તો રાજકોટમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે સરકાર વિચારણી કરી રહી છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આગામી કેબિનેટની બેઠકમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે વિચારણા કરાશે. હાલની સ્થિતિ અને ભવિષ્યની સ્થિતિ અંગે અભિપ્રાય લઇશું. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ગાઇડલાઇન આવશે ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે ર્નિણય લેવાશે.