Western Times News

Gujarati News

રજનીકાંત ઐશ્વર્યા-ધનુષને ફરી એક કરવામાં લાગ્યા

મુંબઈ, સાઉથ સ્ટાર ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતે ૧૭મી જાન્યુઆરીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર અલગ થવાની જાહેરાત કરી હતી. આ ખબર તેમના પરિવારજનો માટે પણ આંચકા સમાન હતી. કપલે તેમના ૧૮ વર્ષના લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂકવાનું નક્કી કર્યું હતું. તેમને યાત્રા અને લિંગા નામના બે દીકરા પણ છે.

દીકરી ઐશ્વર્યા પતિથી અલગ થઈ હોવાની વાતથી એક્ટર-પિતા રજનીકાંતને ખૂબ ધક્કો લાગ્યો છે. તેઓ તેમની દીકરીનું ઘર ફરીથી વસી જાય તેમ ઈચ્છી રહ્યા છે. તેથી જ ઐશ્વર્યા અને ધનુષને એક કરવા માટે તેમણે કમર કસી લીધી છે. દીકરી ઐશ્વર્યાનું ઘર તૂટે તેમ રજનીકાંત ઈચ્છતાં નથી.

કારણ કે, આ સેપરેશનની તેમના બંને દીકરા પર પણ અસર થઈ છે. રિપોર્ટ્‌સ પ્રમાણે, અગાઉ પણ ઘણીવાર ઐશ્વર્યા અને ધનુષના લગ્ન તૂટવાની અણીએ હતા. પહેલા પણ બંને વચ્ચે અણબનાવ થયો હતો, પરંતુ દરેક વખતે રજનીકાંતે સંભાળી લીધું હતું. બંને વચ્ચે ઘણીવાર સમજૂતી કરાવી હતી.

તેઓ ફરી એકવાર આમ કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ્‌સ પ્રમાણે, દીકરીના સેપરેશનથી રજનીકાંત પ્રભાવિત થયા છે. તેઓ તે વાત પર ભાર મૂકી રહ્યા છે કે સેપરેશન અસ્થાયી છે. તેઓ તેમની દીકરીને લગ્નમાં સુધારો કરવાનો આગ્રહ પણ કરી રહ્યા છે. ફેન્સને પણ આશા છે કે, કદાચ હવે રજનીકાંત બંને વચ્ચે સમજૂતી કરાવી શકે.

ધનુષ અને ઐશ્વર્યા બંને પર તેમનો પરિવાર દબાણ કરી રહ્યો છે, જેથી ફરીથી એક થઈ જાય. ૧૭મી જાન્યુઆરીએ રાતે ધનુષે તેના ટિ્‌વટર પર પત્ની ઐશ્વર્યાથી અલગ થવાની વાત કરી હતી. ટ્‌વીટમાં તેણે લખ્યું હતું ‘૧૮ વર્ષ સુધી અમે મિત્રો, દંપતી, માતા-પિતા તરીકે એકબીજાની ભલાઈ ઈચ્છતા રહ્યા.

આ જર્ની આગળ વધવાની, સમજવાની, મેળ કરવાની અને એકબીજા સાથે અનુકૂળ રહેવાની રહી. આજે અમે તેવી જગ્યાએ ઉભા છીએ જ્યાં અમારા માર્ગ અલગ છે.

ઐશ્વર્યા અને મેં દંપતી તરીકે અલગ થવાનો ર્નિણય લીધો છે અને અમારા સારા માટે અમે એકબીજાને સમય આપવા અને સમજવા માગીએ છીએ. અમારા ર્નિણયનું સન્માન કરવા વિનંતી અને અમને તેની સાથે ડીલ કરવા માટે પ્રાઈવસી આપજાે. ઓમ નમોશિવાય! પ્રેમ ફેલાવતા રહો-ધનુષ’. જણાવી દઈએ કે, ઐશ્વર્યા અને ધનુષના લગ્ન નવેમ્બર, ૨૦૦૪માં થયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.