કે.ટી. હાઈસ્કૂલ ખેડબ્રહ્મામાં કવિ ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ ઉજવાઈ
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, તા.૯.૩.ર૦રરના રોજ ખેડબ્રહ્મા મુકામે શેઠ કે. ટી હાઈસ્કૂલમાં સોરઠી ધરતીના સાહિત્યકાર જેમના વીરરસથી ભરપૂર એવા કાવ્યોથી રાષ્ટ્રવાદ લોકોમાં સુરે છે એવા રાષ્ટ્રીય શાયર કવિશ્રી ઝવેરચંદ મેઘાણીજીની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમની શરૂઆત કસુંબીનો રંગ ગીતથી કરવામાં આવી.
ત્યારબાદ શાળાના સુપરવાઈઝર પ્રકાશભાઈ પટેલ દ્વારા ૯ માર્ચ ઝવેશચંદ મેઘાજીની પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમની ઘોષણા કરવામાં આવી.
શાળાના ઉપાચાર્ય કપિલભાઈ ઉપાધ્યાયએ ઝવેરચંદ મેઘાણીના જન્મથી માંડી તેમના સમગ્ર જીવન ચરિત્ર વિશે વિદ્યાર્થીઓને સુંદર ભાષામાં વર્ણન કરવામાં આવ્યું તેમના ઉપનામ દ.સ.ણી., સાહિત્ય યાત્રી, વિલાપી, તંત્રી વિરાટ, શાણો, વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા શાળાના આચાર્ય શ્રી વિભાસભાઈ રાવલે તેમના ફોટા ઉપર પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી. જાદર જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હિમાંશુભાઈ નિનામા દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શાળાના તમામ સ્ટાફ મિત્રોએ અને બાળકોએ રાષ્ટ્રભક્તિના ભાવ સાથે કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.*