રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના દર્શનાર્થે
આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના દર્શનાર્થે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ જી, તેઓનુ સ્વાગત તથા સન્માન ટ્રસ્ટી શ્રી પ્રવિણભાઇ લહેરી, શ્રી જે ડી પરમાર, તથા સેક્રેટરી શ્રી યોગેન્દ્રભાઇ દેસાઇ એ કરેલું હતું.
સોમવારના પવિત્ર દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના પરીવાર સાથે દર્શન પુજન કરતા મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જી સાથે ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યજી પરીવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મહામહિમ રાષ્ટ્રપતિ જી એ પરીવાર સાથે ગંગાજળ અભિષેક મહાપૂજા કરી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ જી અને તેમના પરીવાર ને સ્મૃતિ ભેટ આપી ટ્રસ્ટી શ્રી પ્રવિણભાઇ લહેરી અને શ્રી જે ડી પરમાર સાહેબ તથા સેક્રેટરી શ્રી યોગેન્દ્રભાઇ દેસાઇ એ સન્માન કરેલું હતું.