પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, ખૈબર પખ્તુનખ્વામાં ૮ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉત્તર વજીરિસ્તાન જિલ્લામાં ૧૪ એપ્રિલે બે આતંકવાદી હુમલામાં આઠ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. પાકિસ્તાની અખબાર દ્વારા આ અહેવાલ આપવામાં આવ્યો છે.
પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગ ઈન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ અનુસાર, પહેલો હુમલો ઉત્તર વઝીરિસ્તાનના દાતાખેલ શહેરમાં થયો જ્યારે આતંકવાદીઓએ એક ચાલતા લશ્કરી વાહન પર હુમલો કર્યો. આ હુમલામાં આતંકીઓએ એસોલ્ટ ગન અને રોકેટ ફાયર ગ્રેનેડનો ઉપયોગ કર્યો હતો. માર્યા ગયેલા સૈનિકોના મૃતદેહને સૈન્ય હેલિકોપ્ટર દ્વારા ઉત્તર વઝિરિસ્તાનના વહીવટી મુખ્ય મથક મીરામશાહમાં લઈ જવામાં આવ્યા હતા.
પાકિસ્તાની સેનાએ અહેવાલ આપ્યો છે કે સશસ્ત્ર દળો અને વિદ્રોહીઓ વચ્ચેનો બીજાે હુમલો ઉત્તર વઝીરિસ્તાન જિલ્લાના ઈશામ વિસ્તારમાં થયો હતો જ્યાં ગોળીબારમાં મિયાંવાલી કોન્સ્ટેબલ અસમતુલ્લા ખાનનું મોત થયું હતું.
વર્ષ ૨૦૨૨ના પ્રથમ ત્રણ મહિના (જાન્યુઆરી-માર્ચ) વચ્ચે ૯૭ સૈનિકો અને ૮ સૈન્ય અધિકારીઓના મોત થયા છે. આ તમામ આતંકી હુમલામાં માર્યા ગયા છે. પાકિસ્તાની સેનાએ કહ્યું છે કે આ દરમિયાન ૧૨૮ આતંકવાદીઓ માર્યા ગયા છે અને ૨૭૦ની ધરપકડ કરવામાં આવી છે.HS