Western Times News

Gujarati News

શાહિદે પૈસા વાપરતા પહેલા લેવી પડે છે પત્નીની પરમિશન

મુંબઈ, બોલિવૂડમાં શાહિદ કપૂર અને મીરા રાજપૂતની જાેડીને સૌથી સુંદર કપલ્સમાંથી એક માનવામાં આવે છે. જ્યારે શાહિદ કપૂરના લગ્ન મીરા રાજપૂત સાથે થયા હતા ત્યારે તે એક સફળ હીરો સાબિત થઈ ચૂક્યો હતો. તેમણે અરેન્જ મેરેજ કર્યા હતા.

તેમના લગ્ન મુંબઈ નહીં પણ દિલ્હીમાં થયા હતા. લગ્નના શરુઆતના સમયમાં શાહિદ અને મીરા બન્ને પોતાની મેરિડ લાઈફ વિશે વધારે વાત નહોતા કરતા પરંતુ પછીથી તેમણે ખુલીને વાત કરવાની શરુ કરી હતી. તાજેતરમાં જ શાહિદ કપૂરની ફિલ્મ Jersy રીલિઝ થઈ છે.

આ ફિલ્મના પ્રમોશન દરમિયાન શાહિદ કપૂરે ફિલ્મ સિવાય પોતાના અંગત જીવનને લગતી પણ ઘણી રસપ્રદ વાતો જણાવી. શાહિદ કપૂરે જણાવ્યું કે, તેને સ્કૂલમાં બીજા વિદ્યાર્થીઓ હેરાન કરતા હતા. આ સિવાય તેણે લગ્ન જીવન અંગે પણ વાતચીત કરી.

તેણે કહ્યું કે, મીરા રાજપૂત ઘણું સારું જમવાનું બનાવે છે, પરંતુ તેને કિચનમાં રહેવું પસંદ નથી. વધુ એક રસપ્રદ વાત શાહિદે બતાવી કે, લગ્ન પછી શાહિદની પૈસા અને ફાઈનાન્શિયલ પ્લાનિંગ બાબતે વિચારધારા ઘણી બદલાઈ ગઈ છે. શાહિદે આ વિશે વાત કરતાં જણાવ્યું કે તે હવે પહેલા કરતા વધારે જવાબદાર વ્યક્તિ બની ગયો છે. શાહિદે જણાવ્યું કે, પહેલા હું ઓલ આઉટ થઈ જતો હતો પરંતુ હવે નહીં.

હવે હું એક ફેમિલી મેન છું, મારા બાળકો છે, પત્ની છે. પરમિશન લેવી પડે છે, વિચારવું પડે છે. જાે કે શાહિદે ખુલાસો કર્યો કે, જ્યારે તેણે પોતાના મિત્રો સાથે બોય્ઝ ટ્રિપ પર જવું હોય છે ત્યારે તેણે પૈસા ખર્ચ કરવા માટે પરમિશન લેવાની જરૂર નથી પડતી.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી શરુ થઈ તે પહેલા શાહિદ કપૂર પોતાના બાઈ ઈશાન ખટ્ટર અને કૃણાલ ખેમુ સાથે બાઈક ટ્રિપ પર યૂરોપ ગયો હતો. વર્ક ફ્રંટની વાત કરીએ તો શાહિદ કપૂરની ગત ફિલ્મ કબીર સિંહ સુપરહિટ સાબિત થઈ હતી.

હવે ગત સપ્તાહમાં તેની ફિલ્મ જર્સી રીલિઝ થઈ છે, જેમાં તેની સાથે મૃણાલ ઠાકુર અને પંકજ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય શાહિદ ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર સાથે એક એક્શન ફિલ્મ માટે શૂટ કરી ચૂક્યો છે. હજી સુધી ફિલ્મનું નામ, રીલિઝ ડેટ વગેરે જાણકારી જાહેર કરવામાં નથી આવી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.