દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૯૬૮ નવા કેસ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/08/Corona-1024x630.jpg)
નવી દિલ્હી, ભારતમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૯૬૮ નવા કેસ નોંધાયા છે, જયારે ૧૫ સંક્રમિતોના મોત થયા છે. મહિનાઓ બાદ દેશમાં આટલા ઓછા કેસ નોંધાયા છે.
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૩૪,૫૯૮ પર પહોંચી છે. જ્યારે ડિસ્ચાર્જનો કુલ આંકડો ૪ કરોડ ૪૦ લાખ ૩૬ હજાર ૧૫૨ થયો છે. કુલ મૃત્યુઆંક ૫ લાખ ૨૮ હજાર ૭૧૬ પર પહોંચ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૨૧૮ કરોડ ૮૦ લાખ ૫૦ હજાર ૬૦૦ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ૩, ૪૪,૫૨૫ લોકોનું ગઈકાલે રસીકરણ થયું હતું.
ઓક્ટોબરમાં કેટલા નોંધાયા કેસ આ મુજબ છે. ૩ ઓક્ટોબરે ૩૦૧૧ નવા કેસ નોંધાયા હતા. ૨ ઓક્ટોબરે ૩૩૭૫ નવા કેસ નોંધાયા હતા. ૧ ઓક્ટોબરે ૩૮૦૫ નવા કેસ નોંધાયા હતા.SS1MS