અફઘાનની જમીનનો ઉપયોગ આતંક માટે ન થાયઃ ભારત
લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોને અહીં આશરો મળવો જાેઈએ નહીં તેના પર ભાર મૂકાયો
નવી દિલ્હી, ભારતે આતંકવાદના મુદ્દે અફઘાનિસ્તાન અંગે ચિંતા વ્યક્ત કરી છે. ભારતે વિશ્વ સમુદાયને કહ્યું છે કે તે સુનિશ્ચિત કરે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદીઓને આશ્રય કે તાલીમ આપવા માટે ન થાય. ખાસ કરીને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો,
જેને યુએન સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યા છે, તેમને અહીં આશરો મળવો જાેઈએ નહીં. સંયુક્ત રાષ્ટ્રમાં અફઘાનિસ્તાનના નાયબ સ્થાયી પ્રતિનિધિ રાજદૂત આર રવિન્દ્રએ ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન અફઘાનિસ્તાન અંગે નવી દિલ્હીની સુરક્ષા ચિંતાઓ વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાંથી જૈશ અને લશ્કરના આતંકવાદીઓને અફઘાનિસ્તાનમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
જર્મનીએ ગુરુવારે યુએન જનરલ એસેમ્બલીમાં એક ઠરાવ રજૂ કર્યો હતો. આ ઠરાવમાં અફઘાનિસ્તાનમાં મહિલાઓના માનવ અધિકારો, પ્રતિનિધિ સરકારની સ્થાપના કરવામાં નિષ્ફળતા અને નબળી આર્થિક અને સામાજિક સ્થિતિ પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.
આ પ્રસ્તાવની તરફેણમાં ૧૧૬ વોટ પડ્યા, જ્યારે ૧૦ વોટ વિરોધમાં પડ્યા, જ્યારે ૬૭ દેશોએ વોટિંગમાં ભાગ લીધો ન હતો. રવિન્દ્રએ કહ્યું કે ભારત યુએનએસસી મોનિટરિંગ ટીમ દ્વારા ભજવવામાં આવેલી ઉપયોગી ભૂમિકાની નોંધ લે છે. તે એવી પણ અપેક્ષા રાખે છે કે સંગઠન અન્ય દેશોને નિશાન બનાવવા માટે અફઘાનિસ્તાનનો આધાર તરીકે ઉપયોગ કરી શકે તેવા તમામ આતંકવાદી જૂથો પર દેખરેખ રાખવાનું અને રિપોર્ટ કરવાનું ચાલુ રાખે.
મોનિટરિંગ ટીમે તાજેતરના વર્ષોમાં અફઘાનિસ્તાનમાં હાજર લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના લડવૈયાઓ સાથે વાત કરી છે. તે જ સમયે, કેટલાક અન્ય અહેવાલોમાં પણ કહેવામાં આવ્યું છે કે બંને પ્રતિબંધિત સંગઠનોએ તેમના લડવૈયાઓને અફઘાનિસ્તાન મોકલ્યા છે.
પાકિસ્તાન પર ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના દબાણ બાદ આ પગલું લેવામાં આવ્યું છે. આ દબાણો બાદ પાકિસ્તાનમાં હાજર લશ્કર અને જૈશે તેમના લડવૈયાઓને અફઘાનિસ્તાન ખસેડ્યા છે. રવિન્દ્રએ કહ્યું કે અફઘાનિસ્તાન પ્રત્યે અમારું વલણ ઐતિહાસિક મિત્રતા અને વિશેષ સંબંધોને અનુરૂપ રહેશે. તેમણે કહ્યું કે ભારત હંમેશા અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતાના પક્ષમાં રહ્યું છે.