Western Times News

Gujarati News

રેશમા પટેલ અંતે NCP છોડીને આપમાં જાેડાઈ ગયા

ગોંડલ,  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પક્ષ જાેરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આમ, ગુજરાતમાં હાલ ચૂંટણી માહોલ જામ્યો છે.

જાે કે, આ દરમિયાન ટિકિટને લઈને ઉમેદવારોની નારાજગી તથા વિરોધ પણ સામે આવી રહ્યો છે. જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ નેતાઓનો પક્ષપલટો પણ શરૂ થઈ ગયો છે. ત્યારે વધુ એક નારાજ ઉમેદવાર રેશ્મા પટેલે એનસીપીમાંથી રાજીનામું આપી દીધુ છે.

રેશ્મા પટેલે એનસીપીના તમામ સભ્યોપદેથી રાજીનામું આપી દીધુ છે. રાજીનામા બાદ આજે રેશમા પટેલ આપ પાર્ટીમાં જાેડાયા છે. રાઘવ ચડ્ડાની હાજરીમાં ટોપી અને ખેસ પહેરી વિધિવત પ્રવેશ કર્યો હતો. રેશ્મા પટેલે એનસીપીથી ગોંડલ બેઠક માટે ટિકિટ માંગી હતી પરંતુ એનસીપીઅને કોંગ્રેસના ૩ બેઠકના ગઠબંધનને કારણે ટિકિટ મળવાનો કોઈ રસ્તો રહ્યો નહોતો તેથી તેઓ આ ગઠબંધનથી નારાજ હતા.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે હવે રેશ્મા પટેલ આમ આદમી પાર્ટીમાં જાેડાઈ શકે છે. તેમણે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો પણ સંપર્ક કર્યો હોવાની માહિતી મળી રહી છે.

આ અગાઉ કાંધલ જાડેજાએ પણ પોતાની નારાજગીના કારણે એનસીપીમાંથી રાજીનામું આપી દીધું હતું. કાંધલ જાડેજા છેલ્લા ૨ ટર્મથી કુતિયાણા બેઠક પરથી એનસીપીના ધારાસભ્ય હતા. કાંધલ જાડેજા ૨૦૧૨માં એનસીપીમાં જાેડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.