વિરપુરના બાર ગામે સુકન્યા સમૃદ્ધિ યોજનાની પાસબુક વિતરણ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ) વીરપુર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટેની શરૂઆત કરવામાં આવી હતી.આ યોજના હેઠળ દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ અને સુરક્ષિત બનાવવા વિવિધ પ્રકારની બચત યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે જેમાં વિરપુર તાલુકાના બાર ગ્રામ પંચાયતના કલાજીના મુવાડા મંદિર ખાતે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત પાસબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ મહિસાગર જિલ્લા અને વિરપુર તાલુકા દ્વારા આયોજિત સુકન્યા સમૃધ્ધિ યોજના પાસબુક વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો ગામની ૨૫ બાળકીઓના નવા ખાતા ખોલવામાં આવ્યા તે દિકરીઓને સુકન્યા પાસબુકનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યકર્મમાં મહિસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા વિરપુર તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ શનાભાઈ પરમાર વિરપુર તાલુકા પંચાયત સદસ્ય દલપતસિંહ ઠાકોર પ્રભારી જીગરભાઈ પંડ્યા જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ ધનપાલસિંહ પરમાર અને બક્ષીપંચ મોરચાના મંત્રી પ્રવિણ સિંહ ખાંટ યુવા મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ રાઠોડ, મનીષભાઈ પટેલ, ઉપપ્રમુખ ગણપતસિંહ પરમાર, કિશાન મોરચાના મંત્રી દિનેશભાઈ પરમાર,યુવા કારોબારી સભ્ય નવીનસિંહ ઠાકોર તથા મહીલા મોરચા ના સભ્ય પ્રમિલાબહેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પાસબુક વિતરણ કરવામાં આવ્યું હતું.